SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] લેકેદરમાં આગ. ૧૬૬૧ “ધળા માણસની માફક બુમરાણ કરી મૂકે છે (તેઓ રાગની ધૂનમાં “કાંઈ બોલે છે ત્યારે જાણે કશો વિચાર જ ન કરતા હોય તેવા દેખાય છે); વસ્તુસ્થિતિના જાણકાર હોવા છતાં ક્રિયા નહિ કરનારા પાંગળાઓ ત્યાં ઊંચે સ્વરે રડતા દેખાય છે; (અજ્ઞાનીઓ આંધળા છે “અને સમજવા છતાં વ્યવહારૂ કાર્ય ન કરનારાઓ પાંગળા છે-આ સ્પષ્ટ હકીકત છે); મકરાઓ જેવા નાતિકે ત્યાં હમેશાં કિલકિલાટ કરે છે, ખાલી ધમાધમ કર્યા કરે છે, ખોટા હેત્વાભાસે મૂકી બૂમ“રાણ કરી મૂકે છે; ઇંદ્રિયરૂપી ચારે ત્યાં ધર્મસર્વસ્વની ચોરી કરે છે; “રાગ અગ્નિવડે આત્મઘરની સાર સાર વસ્તુઓ બળવા લાગે છે; “કેટલાક લેકે તેવે વખતે એમ બોલતા સંભળાય છે કે “અરેરે ! “શું કરીએ? આવી ભયંકર આગ ઓલવવાને અમે શક્તિમાન નથી – કપણ માણસે કકળાટ કરે છે તેની બરાબર આ હકીકત સમજવી. હૈ ભાઈ! એ સાધુએ આ સંસારમાં લાગેલી ભયંકર આગનું વર્ણન કર્ય, સંસારની આગના ભડકા બતાવ્યા, લેકેની સ્થિતિ વર્ણવી, ગડબડાટ અને અવ્યવસ્થાનો ચિતાર આપે. લેકેને અરસ્પરસ બચાવ કરે તેવું કઈ ન હોવાથી અને તેમ કરવા તેઓ સમર્થ ન હોવાથી તે આખું ગામ શરણુરહિત નિરાધાર જેવું થઈ રહ્યું છે એમ બતાવવામાં આવ્યું. “ ત્યાં તે વખતે મંત્રવાદી આવ્યા તે વિજ્ઞાનવાળા પરમેશ્વર શ્રી સર્વજ્ઞ મહારાજ સમજવા. તેણે ઉઠીને એક તીર્થ સર્વ મંત્રવાદી. “રૂપ મંડળ કર્યું-તેણે પોતાના તીર્થોની પ્રરૂપણાં “સ્થાપના કરી અને તેની સર્વ યોજના તેણે ગામની “ વચ્ચે ચન્દ્રક આકાર સમાન મધ્ય લેક (તીચ્છ લેક)માં સૂત્રમંત્રની રેખાવડેકરી પોતાની જાતને બતર પહેરાવી લઈને ધમે દેશનાવડે તેણે ૧ આંધળા અને પાંગળાની આ દૃષ્ટિએ ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. રાગ અને અજ્ઞાનને વશ થઈ મૂર્ખ માણસે તો આંધળાની જેમ વર્તે છે અને સમજનારા પણ ફરી જાય અને શુભ વર્તન કરે નહિ ત્યારે તે પાંગળા જેવા દેખાય છે. ૨ નાસ્તિકે-આત્માનું અસ્તિત્વ નહિ માનનાર, પરભવ-મુક્તિ નહિ માનનાર નાસ્તિક કહેવાય છે. ૭ આ ગડબડ અને ધમાલ માટે કર્તાએ સમાપુ શબ્દ વાપર્યો છે એ બહુ સુંદર છે. ત્યાં છોકરાને કે માને અથવા વડીલ બાળને તફાવત કાંઇ રહ્યો નહિ એવી ગડબડ ત્યાં મચી રહી-એમ કહેવાનો આશય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy