SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ ] લેકેદરમાં આગ.. ૧૬૫ ત્યંત મૂર્ખાઈથી એ આગમાં ખડ અને લાકડાના ભાર નાખવા લાગ્યા અને ઘીના ભરેલા ઘડાઓ ઠલવીને આગને ઓલવવાનો પ્રયત કરવા લાગ્યા. આવી વિચિત્ર પરિસ્થિતિ જોઈને મંડળની અંદર થોડા લેક ગયા હતા તેઓ બોલવા લાગ્યા-અરે ભેળા ભાઈઓ! આ તમે કરે છે તે આગ ઓલવવાનો ઉપાય નથી. જુઓ ! કાં તે તમે જળ લાવીને એનાથી આ અગ્નિને શાંત કરે અથવા તો આ મહાત્મા મંત્રવાદીએ જે મંડળ રચ્યું છે તેમાં દાખલ થાઓ અને અમારે ઘરે અગ્નિ જેમ શાંત પડી ગયું છે તેમ તમારા સંબંધમાં પણ અગ્નિને શમાવો.” પણ તે લેકેમાંના કેટલાકે તે તે સાંભળ્યું જ નહિ, કેટલાંક તેને તિરસ્કાર કરવા લાગ્યા, કેટલાંક તેની મશ્કરી કરવા લાગ્યા, કેટલાંક તો ઉલટું બોલવા લાગ્યા, કેટલાંક તે અભિપ્રાયને દાબી દેવા લાગ્યા, કેટલાંક એ અભિપ્રાયથી ઉલટી રીતે જ વર્તવા લાગ્યા, કેટલાંક એવો અભિપ્રાય આપનાર તરફ ગુસ્સે થવા લાગ્યા અને કેટલાક તે ઉલટ તેવી સલાહ આપનારની સામા પ્રહાર કરવા માટે દોડવા લાગ્યા. આવો વિચિત્ર બનાવ જોઈને મંડળમાં રહેલા લેકે એ બહારના લેકે તરફ મૌન રહ્યા. વળી કઇ પુણ્યશાળી લેકે ઉપરનાં વચનોને વચ્ચે વચ્ચે આદર પણ કરતા રહ્યા. કુમારે! મારી ભવિતવ્યતા તેવા પ્રકારની હોવાથી મંડળની અંદરના માણસોએ જે વચને કહ્યાં તે મને ગમ્યાં, મંડળમાં પ્રગતિ. પસંદ આવ્યાં, હું આનંદમાં આવી ગયું અને કૂદકે મારીને મંડળમાં દાખલ થઈ ગયો. મંડળમાં ગયા પછી મેં જોયું તે ગામના બાકીના સર્વ લેકે આગથી બળતા દેખાયા, પવનના જોરથી સપાટાબંધ વધતી જતી • આગના ભોગ થઈ પડતા અને મેટેથી ચીસ પાડતા તેમને હું બરાબર જોઈ શક્યો. પછી મંડળની અંદરના લોકોમાંથી કેટલાક દૂર થઈ ગયા, તેઓની સાથે હું પણ નાસી છૂટ્યો. કુમાર! આ મારૂં વૈરાગ્ય થવાનું કારણ છે.” ૧ અહીં આગ ઓલવવાના બે ઉપાયે કહ્યાઃ (૧) મંડળમાં આવવાનો, (૨) મંડળની બહાર રહી પાણીવડે આગ ઓલવવાને. આ બન્ને ઉપાયો વિચારવા યોગ્ય છે. મંડળ બહાર રહી પાણીથી આગ બુઝવવાનો ઉપાય મુશ્કેલ છે પણ તે મહાસત્ત્વશાળી કરી શકે છે, સાધારણું પ્રાણીને આગમાં ફસાઈ જવાનો ભય બહુ રહે છે. મંડળમાં દાખલ થનાર નિર્ભય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy