SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ પ્રીતિ હાવાથી તે મારી સાથે આનંદપૂર્વક દરરાજ વિલાસ કરતા હતા અને મારા સ્નેહમાં વધારા કરતા હતા. ક્રીડા માટે બુધનંદન ઉદ્યાનમાં, એક દિવસ સવારે મેં અકલંકને ક્રીડા કરવા સારૂ મારી સાથે બુધનંદન નામના ઉદ્યાન તરફ લીધો. મારી ઇચ્છાને માન આપીને તે મારી સાથે એ પહેાર સુધી રમ્યા. અમે બન્નેએ મધ્યાહ્ન સુધી સાથે ક્રીડા કરી. ખરાખર ખરે અપેારે મારા મિત્ર અકલંકની મરજી ઘર તરફ જવાની થઇ ત્યારે મેં કહ્યું “ ભાઇ, આ ઉદ્યાનમા મોટું મંદિર છે ત્યાં ચાલા, આપણે જરા આરામ કરીએ, પછી થોડો વખત રહીને આપણે ઘરે જશું.” અકલંકે મારી વાત સાંભળી એટલે તુરત તે કબૂલ કરી અને અમે બન્ને એ ઉદ્યાનમાં આવેલા એક વિશાળ જિનમંદિરમાં દાખલ થયા. ત્યાં અંદર દાખલ થઇ ભગવાનની નમ્રભાવે સ્તુતિ કરી અમે બન્ને મંદિરમાંથી બહાર નીકળ્યા. તે વખતે મંદિરની બહાર અલંકે સાધુઓને જોયા. તપાસ કરતાં જણાયું કે તે દિવસે આઝમ (અષ્ટમી ) હાવાથી સાધુએ નગરની વસતિ( ઉપાશ્રય )માંથી વંદન માટે અહીં આવ્યા હતા અને સર્વેને તે દિવસે ઉપવાસ હતા. વળી અમારા જાભુવામાં એમ પણ આવ્યું કે સર્વ સાધુઓએ ત્યાં આવીને પ્રથમ ભુવનેશ્વર તીર્થપતિને વિધિપૂર્વક વંદન કર્યું અને ત્યાર પછી તેઓ જૂદા જૂદા બેસીને સિન્ફ્રાન્ત ગણવા લાગ્યા છે, સૂત્રના પાઠ કરી રહ્યા છે અને જ્ઞાનઘ્યાનમાં સમય પસાર કરે છે. એ સર્વ સાધુની કાંતિ ઘણી નિર્મળ હતી, સર્વે એક બીજાથી દૂર બેઠા હતા અને બહારના દ્વીપ સમુદ્રમાં રહેલા સ્થિર ચંદ્ર' જેવા દેખાતા હતા અને બાહ્ય દેખાવથી પણ ઘણા બુદ્ધિશાળી હોય તેમ લાગતું હતું. અત્યંત સુંદર આકારને ધારણ કરનાર અને ઇચ્છિત ફળને આપવાવાળા એ સાધુઓ તે વખતે કલ્પવૃક્ષ' જેવા શાભતા હતા. અકલંક તે વખતે મને કહ્યું “ ઘનવાહન ! જો, જે! આ મુનિ ૧ ચંદ્રો પણ સ્થિર અને એક બીજાથી દૂર હેાઈને નિર્મળ કાંતિવાળા મનુષ્યલાકની બહાર દ્વીપસમુદ્રોમાં હેાય છે. અહીં સાધુને ચંદ્રો સાથે સરખાવ્યા છે. સાધુ પ રચય. ૨ કપવૃક્ષ—એના આકાર સારા હોય છે અને તે માગ્યાં ફળ આપનારા હાય છે તેમ સાધુઓના આકાર સુંદર હતા અને પરંપરાએ તે ઉત્કૃષ્ટ ફળ આપ નાર હતા. અહીં સાધુને કલ્પવૃક્ષ સાથે સરખાવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy