SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] ઘનવાહન અને અકલંક. ૧૬૪૭ જ્યોતિષશાસ્ત્ર. - મારો જન્મમહોત્સવ થઈ રહ્યા પછી મારા પિતા રાજા મતે એક સિદ્ધાર્થ નામને પ્રસિદ્ધિ પામેલે જ્યોતિષી તે નગરમાં હતા તેને બોલાવ્યો અને તેને પૂછયું કે “કુમારના જન્મ સમયે ગ્રહો કેવા પ્રકારના પડ્યા છે તે મને બરાબર સ્પષ્ટ કરીને સમજાવો.” એનાં જવાબમાં સિદ્ધાર્થ જોતિષીએ કહ્યું – મહારાજ જે આપને હુકમ! આપ સર્વ હકીકત બરાબર લક્ષ્ય દઈને સાંભળે. “આ આનંદ નામને સંવત્સર ચાલે છે; ઋતુ શર છે; હાલ કાર્તિક માસ ચાલે છે; આજે બીજ 'તિથિ છે તે ભદ્રા છે; આજે ગુરૂવાર છે; આજે કૃતિકા નક્ષત્ર છે; આજે વૃષ ૧ આનંદ સંવત્સરઃ જ્યોતિષ શાસ્ત્રમાં સાઠ સંવત્સરનાં નામો આપેલાં માલમ પડે છે. એમાં અડતાળીશમા સંવત્સરને આનંદ સંવત્સર કહેવામાં આવે છે. સાઠ વર્ષ થઈ ગયા પછી પાછા ફરીવાર તેજ સંવત્સર પુનરાવર્ત થાય છે. જન્માક્ષરમાં સંવત્સરનું નામ ખાસ આપવામાં આવે છે. શક યા સંવત વગર ચાલે પણ સંવત્સરના નામ વગર ન ચાલે. ૨ શરદઋતુઃ તિષીઓ વર્ષને છ ઋતુમાં વહેંચી નાખે છે જેમાં બાર રાશિઓ આવી જાય છે. મીન મેષના સૂર્યને વસંત ઋતુ, વૃષભ અને મિથુનના સૂર્યને ગ્રીષ્મ ઋતુ, કર્ક અને સિંહના સૂર્યને વર્ષાઋતુ, કન્યા અને તોલાના સૂર્યને શરદઋતુ, વૃશ્ચિક અને ધનરાશિના સૂર્યને હેમંતઋતુ અને મકર અને કુંભના સૂચંને શિશિર ઋતુ કહેવામાં આવે છે. દરેક ઋતુ બે મહિનાની હોય છે. - ૩ કાર્તિક માસઃ આખા વર્ષના બાર મહિના હોય છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. જ્યોતિષી વર્ષ ચૈત્રથી શરૂ થાય છે તેમાં આઠમો માસ કાર્તિક આવે છે. ૪ બીજઃ શુદિપક્ષમાં દરેક માસમાં એકમથી પૂનમ સુધી પંદર તિથિ આવે છે અને વદિપક્ષમાં એકમથી અમાસ સુધી થઈને પંદર તિથિ આવે છે. ૧, ૬, ૧૧ એ નંદા તિથિઓ અને ૨, ૭, ૧૨ એ ભદ્રા તિથિઓ છે. કુંવરને બીજને દિવસે જન્મ હોવાથી તે ભદ્રા કહેવામાં આવી છે. તેમાં પ્રતિપદાથી માંડી અનુક્રમે નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણ એ નામો છે. એકેક નામની ત્રણ તિથિઓ હેાય છે. ૫ નક્ષત્રઃ ચંદ્રની ગતિ પ્રમાણે દેખાતા નક્ષત્ર ૨૭ હોય છે. એક અઠ્ઠાવીસમું નક્ષત્ર અભિજિત્ નામનું ગણાય છે. દરેક નક્ષત્રને કાળ લગભગ ૬૦ ઘડિ (એક દિવસ )નો હોય છે. કૃતિકા નક્ષત્ર ત્રીજી આવે છે. એક ચાંદ્ર માસમાં બધાં નક્ષત્ર આવી જાય છે. આપણા મહિના ચંદ્રની ગતિ પ્રમાણે ગણાય છે અને વર્ષ સૂર્યની ગતિ સાથે મેળવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy