SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. પ્રસ્તાવ ૭] તૃતીય વિભાગ-કથાસાર. પ્રકરણ ૨ . લોદરમાં આગ. પ્રથમ મુનિનું વૈરાગ્યકાર ગ પ્રથમ મુનિને પૂછતાં તેમણે જણાવ્યું–પોતે લોકદર ગામમાં રહેતા હતા. એક રાત્રે જબરી આગ લાગી. દેડાદોડ થઈ રહી, રડારડ અને અવાજે થવા લાગ્યા અને આખું ગામ નિરાધાર થતું દેખાયું. ત્યાં એક મંત્રવાદી આબે, મંડળ કર્યું અને તેના મંડળમાં લોકોને બચાવ કરવા બોલાવ્યા. જેઓ ત્યાં ગયા તે બચ્યા, મશ્કરી કરનારા રખડી પડ્યા. હું તે મંત્રવાદીના મંડળમાં ગયે તેથી બ. આ મારા વરાગ્યનું કારણ થયું. પછી એ વાર્તાના ઉપમેયની વિગતવાર હકીકત અલંકે કહી સંભળાવી. | પૃષ્ઠ. ૧૬૫૭-૧૬૬૪. પ્રકરણ ૩ . દારૂનું પી ડું (મદિરાશાળા). બીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ. બીજા મુનિને વૈરાગ્યકારણ પૂછતાં બોલ્યા-દારૂડીઆની ટોળી દારૂ પીવા મળી હતી તેને જોતાં પોતાને વૈરાગ્ય થશે કેમકે બ્રાહ્મણે તેવી સ્થિતિમાં તેને પ્રતિબંધ કર્યો. એ પીઠાનું પછી અભુત વર્ણન કર્યું, પીનારાઓના હાલહવાલ બતાવ્યા, તેર પ્રકારના લોકો તેમાં આવતા હતા તેનાં ચિત્રો રજુ કર્યા. મદિરાશાળાના દેખાવો પર ખૂબ વિસ્તાર કર્યો અને બ્રાહ્મણની લાગણી અને નરમાશની ગણતરી કરી દીધી. આ આખી વાર્તાનો સાર ઘણું વિસ્તારથી ત્યાર પછી અકલંકે ઘનવાહનને કહી સંભળાવ્યો. પૃષ્ઠ. ૧૬૬૫-૧૬૮૦. - પ્રકરણ ૪ થું. અરઘટ્ટઘટ્ટીયંત્ર (૮). ત્રીજા મુનિનો વૈરાગ્યપ્રસંગ. ત્રીજી મુનિને વૈરાગ્યનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે રેટ જેવાથી તેમને વૈરાગ્ય થયો. એનું નામ ભવ હતું, રાગદ્વેષાદિ ચાર એના સાથી હતા, એને ઉપરી મહામહ હતો, કષાયનામના સેળ બળદો એને ખેચતા હતા, એમાં હાસ્યાદિ કામ કરનારા હતા, દુષ્ટયોગ અને પ્રમાદ નામના એને તુંબા હતા, વિલાસ ઉલ્લાસ અને ચાળા નામના આરાઓ હતા, અસંયત જીવ નામને માટે ક હતા, અવિરતિ જળથી એ ભરેલું હતું, જીવલોક નામની ઘટમાળ હતી, ઘટીયંત્રને મરણ નામને નોકર ચલાવતો હતો, અજ્ઞાન મલીન આત્મા નામને પરનાળ હતા, મિથ્યાભિમાન નામની ત્યાં કંડી હતી, સંકિતછચિત્તતા નામને ખાળ હતો, ભગ લોલુપતા નામની બીક હતી, જન્મવિસ્તાર નામનું ખેતર હતું, અપરા૫ર જન્મ નામના કયારા હતા, કર્મપ્રકૃતિ નામના તેમાં બી હતાં, જીવપરિણતિ નામને એને વાવનારો હતો. આવા રેટને જઇ પોતાને વૈરાગ્યે થયો. ચકિત ઘનવાહનને આ મહાન ઉપમેયને ઉપનય સમજાવ્યું. પૃષ્ઠ. ૧૬૮૧-૧૬૮૬. પ્રકરણ ૫ મું. પાંચ કુટુંબીઓનું ભેજનઃ ચેથા મુનિને વૈરાગ્યપ્રસંગ. ચોથા મુનિને દીક્ષા લેવાનું કારણ પૂછતાં વાત કરી કે એક મઠમાં પોતે ચટ્ટ (સાધુ બાવા) હતા ત્યાં ભક્ત કુટુંબ આવી ચઢયું. એનું તંત્ર ચલાવનાર પાંચ મનુષ્યો હતા. એ કુટુંબ અમને ઘણું હીત કરનાર લાગ્યું. એણે અમને જમણ આયું જેનો લાભ લેતાં અમને સનેપાત થયે, જીભ કાંટાવાળી થઈ ગઈ, ગળું, રૂંધાઈ ગયું અને અમારી ભારે અવદશા થઈ. ત્યાં એક વૈદ્ય આવ્યા તેગે છે. મને ભેજનનો દોષ સમજાવ્યો. પછી ભેજનદેષને શેધનારી દીક્ષા અમને આપી. આ સુંદર વાર્તાને ભાવાર્ય અíકે વિસ્તારથી સમજાવ્યું. પ્રણ. ૧૬૮૩–૧૬૯૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy