SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ એના રાજયથી મેહરાની સભામાં ભારે તરખાટ થયો. એણે ગુરૂને રાજમાં પ્રવેશ કરવાનો માર્ગ પૂછયે. ગુરૂએ વિગતવાર તેના ઉપાયો બતાવ્યા. તે સર્વ ઉપાય અસલ આકારમાં વાંચવા ગ્ય છે. ત્યાર પછી આખે અંતરંગ રાજ્ય માર્ગ બતાવે તે પણ અસલ આકારમાં સમજવા યોગ્ય છે. છેવટે નિવૃતિ નગરીનો આનંદ અને પ્રયાણની ભૂમિકાઓ બતાવી તે પણ સમજવા યોગ્ય છે. ઉત્તમ કુમારે દષ્ટિ દેવીપર જીત મેળવી અને ઉપાયેનો અમલ કરી યોગમાર્ગે આગળ વધી છેવટે નિ વૃનિ નગરીએ ગયે. પૃષ્ઠ. ૧૫૯૪-૧૬૧૨. પ્રકરણ ૧૫ મું. (૬) વરિષ્ઠ રાજ્ય. છઠું વર્ષ વરિષ્ટને રાજ્ય મળ્યું. મેહરાયને એથી દિલગિરી થઈ. એ તો સ્વયંજ્ઞાની હતો. એણે ગણધરદ્વારા સિદ્ધાન્તની સ્થાપના કરી. એની બાહ્ય સંપત્તિ ઘણી જબરી થઈ, એનાં સમવસરણ અષ્ટપ્રાતિહાર્ચ વિગેરે અભિનવ હતાં અને એના અતિશય સાનંદાશ્ચર્ય પમાડે તેવા હતા. એનું રાજ્ય સર્વથી વધારે ફતેહમંદ થયું. પૃષ્ઠ. ૧૬૧૩-૧૬૨૮. પ્રકરણ ૧૬ મું. હરિ અને ધનશેખરઃ ઉપર છ પ્રકારના પુરૂષો પર પર્યાલોચના અને અનેક પ્રકારના પ્રશ્નોત્તરોથી નિર્ણય. ઉત્તમસૂરિ એ રીતે પાંચમા રાજા જેવા હતા અને હરિકુમાર ત્રીજા પ્રકારનો હતો એ પણ વાત ઉપરથી જણાઈ ગયું. હરિકુમારને પ્રગતિ કરવા ભાવના થઈ. દીક્ષા લેવાથી માર્ગપ્રાપ્તિ થશે એમ જાણતાં એણે પુત્ર શાર્દુલને ગાદીએ બેસાડ્યો અને પોતે દીક્ષા લીધી. તેની પાલન કરતાં પૃથ્વીતળપર વિહાર કરવા લાગ્યા. - ધનશેખર તે સાગર મિથુનની અસરતને વધારે ઊંડે ઉતરતો ગયો. રખડતાં એક બીલીના ઝાડ નીચે આવ્યો, ખેદતાં રતન ઘડો નીકળે, ઉઘાડતાં મોટો રાક્ષસ નીકળ્યો અને એણે તેને મારી નાખે. મરીને ધનશેખર પાપિષ્ટ નિવાસના સાતમા પાડામાં ગયા. રખડતા ફફડતાં તેને દેવી ભવિતવ્યતાએ સાહૂલાદપુરે મોકલ્યો. પૃષ્ઠ. ૧૬૨૯-૧૬૩૮, ઉપસંહાર વિગેરે. પૃષ્ઠ. ૧૬૩૮-૧૬૩૯, પ્રસ્તાવ સાતમે. (મહામોહ. પરિગ્રહ, શ્રવણેદ્રિય.) પ્રકરણ ૧ લું. ઘનવાહન અને અકલંક સંસારી જીવ સાહૂલાદનગર જીમૂતરાજા અને લીલાદેવીના પુત્ર તરીકે અવતર્યો. નામ ઘનવાહન રાખ્યું. એના જન્મ વખતે ગૃહો બહુ ઉચ્ચ હતા. જ્યાતિષશાસ્ત્ર. રાજાના ભાઈ નીરદને અકલંક નામનો પુત્ર થયો. એ બહુ સારો હતો, સગુણી હોતે, ધર્મરત હતા, ધર્મ જૈન હતો અને કુળકર્મતત્પર હતો. ઘનવાહનને અને તેને સારી મૈત્રી થઈ, બન્ને સાથે ઉછર્યા. બન્ને એક દિવસ બુધનંદન નામના ક્રીડા ઉદ્યાનમાં ફરવા ગયા ત્યાં મહાશાંત મુનિઓને તપ જપ ધ્યાન કરતાં જોયાં. જૂદા જૂદા સાધુને મળી વૈરાગ્યનું કારણ બન્ને રાજકુમારે પૂછવા ગયા પૃષ્ઠ. ૧૬૪૫-૧૬૫૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy