SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૬ ] તૃતીય વિભાગ-કથાસાર. ૧૯ ધર્માંદિ પુરૂષાર્થથી દૂર છે અને દોષનેા ઘર છે. એના આત્માની સર્વ શક્તિએ શૂન્ય થઈ ગઈ છે અને એને પેાતાના બળનું પણ ભાત નથી. આ સલાહથી મેહરાયને ત્યાં વધામણાં થયાં અને ગામે ગામ આનંદ મહે।ત્સવ થયા. ચારિત્રરાજે સક્ષેાધ સાથે વિચારણા કરી તે। માલૂમ પડયું કે નવા રાન્ત તદ્ન મેાહવશ છે. પરિણામે ચારિત્રરાજનાં નગરામાં દિલગિરી ફેલાણી. પછી ચારિત્રરાજ અને મે।હરાજની લડાઈ થઈ, તેમાં ચારિત્રરાજના લશ્કરને ધાણ નીકળી ગયા. રાન્ત નિકૃષ્ટ ધણા અધમ નીવડ્યો અને પિતાએ એને વર્ષની આખરે કહ્યું કે દીકરા ! તને રાજ્ય કરતાં આવડવું નહિ!' એ આખરે પાપીપંજરમાં ગયા, વિતર્ક નામના માણસે નિકૃષ્ટ રાજ્યના આ પ્રમાણે રિપેર્ટ કર્યો. પૃષ્ઠ. ૧૫૬૮-૧૫૭૬. પ્રકરણ ૧૨ સું. (૨) અધમરાજ્ય-યોગિની દૃષ્ટિદેવી: ખીજે વર્ષે અધમને રાજ્ય એક વર્ષ માટે મળ્યું. નવા રાજા આવતાં મેહરાયની સભામાં પૂર્વવત્ વિચારણા ચાલી. મંત્રીએ જણાવ્યું કે એ નવા રાજા આ ભવના ભાગમાં આસક્ત છે, ધર્મ અને મેાક્ષનેા દ્વેષી છે, અર્થ કામમાં આસક્ત છે અને રાજ્યસત્તાથી અજાણ્યા છે. રાજ્યમાં તેને પ્રવેશ ન થવા દેવા પ્રયત્ન રાખવાની જરૂર જણાણી. એ કાર્ય એમણે દૃષ્ટિ દેવીને સોંપ્યું. એ દેવી વિષયાભિલાષ મંત્રીની દીકરી થતી હતી અને કામ કરવાને યેાગ્ય હતી. ચારિત્રરાજની સભામાં આ નવા રાજ્યથી શાક થયેા. દૃષ્ટિ દેવીએ કામ આદરી દીધું. એથી અધમ સ્ત્રીદર્શનમાં આનંદ પામવા લાગ્યા અને રાજ્યની બહાર રહ્યો. અને પેાતાની સંપત્તિ શી છે તે જાણી નહિ. છેવટે એ ચંડાળણીપર આસક્ત થયા અને અતિ તુચ્છકાર પામ્યા. પિતાએ એને કહ્યું કે દિકરા! તને રાજ્ય કરતાં આવડવું નહિ.' પૃષ્ઠ. ૧૫૭૭-૧૫૮૬. પ્રકરણ ૧૩ મું. (૩) (૪). વિમધ્યમ-મધ્યમ રાજ્ય. (૩) વિમધ્યમ રાજ્ય. ત્રીજે વર્ષે વિધ્યમને એક વર્ષ માટે રાજ્ય મળ્યું. એ ચારિત્રરાજની અપેક્ષા રાખનારા પણ મેાહરાય તરફ પક્ષપાતી નીકળ્યા. એને આ ભવની વાત પસંદ હતી, પરભવની વાત ગમતી નહિ. પૈસામાં એને મેાજ આવતી, પણ વચ્ચે ધર્મ પણ ગમતા. એના રાજ્યમાં વિષયાભિલાષને સાવધાન રહેવાની જરૂર લાગી. આ વખતે પણ એણે દૃષ્ટિદેવીને આગળ કરી અને નવા રાજને બહાર ધકેલી દીધા. પિતા કમઁપરિણામ એના રાજ્યથી જરા પ્રસન્ન થયા. (૪) મધ્યમ રાજ્ય, એ મેાક્ષને ખરે પુરૂષાર્થ માનનાર નવા રાા એક વર્ષ માટે થયા. એ વસ્તુસ્વરૂપ બરાબર સમજતા હતા અને ચારિત્રરાજના સૈન્યને એ એળખી ગયા હતા. એના રાજ્યકાળમાં ચારિત્રરાજે મેાહુરાયના રાજ્યની અરધી ભૂમિ પેાતાને સ્વાધીન કરી પેલા ચેારા રાજાને આધીન થયા અને પેાતાને દર પડતા મૂકયેા. મધ્યમરાજે દેશવિરતિધર જ્ઞાનીને યેાગ્ય અનુછાના કર્યો અને એના રાજ્યથી પિતા રાજી થયા. પૃષ્ઠ. ૧૫૮૬-૧૫૯૩. પ્રકરણ ૧૪ સું. (૫) ઉત્તમરાજ્ય. પાંચમે વર્ષે ઉત્તમ કુમારને રાજ્ય એક વર્ષેમાટે મળ્યું. સòાધ મંત્રીએ રાજાના અનેક ગુણા જણાવ્યા. એ પેાતાના આખા લશ્કરને એળખનાર હતેા, ચારને અને તેનાં સ્થાનાને પીછાણનાર હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy