SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૬૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. * પ્રસ્તાવ હું વિત મને જે હકીકત કહી તે પરથી જણાય છે કે તે જ રાજ્ય નિકૃષ્ટને અને અધમને દુઃખનું કારણુ થયું કારણ કે તેઓએ એ રાજ્ય ઘણી ખરાબ રીતે પામ્યું અથવા પોતાનું રાજ્ય ઓળખી પણ શક્યા નહિ; વળી એ જ રાજ્ય વિધ્યમને અલ્પ સુખનું કારણ થયું, કારણ કે એ પણ રાજ્યની બહારના ભાગમાં જ મેાટે ભાગે રહ્યો અને રાજ્યને મંદમંદ સહજ પાળ્યું; વળી તે જ રાજ્ય મધ્યમરાજને લાંબા વખતના સુખનું કારણુ થયું કારણ કે એણે રાજ્યની અંદર પ્રવેશ કરીને કાંઇક આદરપૂર્વક તેની પાલના કરી; વળી તે જ રાજ્યને અહુ સુંદર રીતે પાળવાથી ઉત્તમરાજ અને વરિષ્ઠને તે સર્વ પ્રકારનાં સુખા આપનાર થયું. આ છ રાજા પૈકી પ્રત્યેકનું એક એક વર્ષનું રાજ્યપાલન સમજવાથી હું તેા બધી હકીકત ખરાબર સમજી ગયા, જાણી ગયા, કારણ ડાહ્યા માણસાએ કહ્યું છે કે “ જે માણસે ખારીક અવલાકન કરીને એક સંવત્સર ( વર્ષે ) જોયા હોય અને એકવાર જેણે ઇચ્છાપૂર્વક તેની સેવના કરી હેાય, તેણે આખી દુનિયાને ખરાખર જોઇ લીધી છે એમ જાણવું, કારણ કે દુનિયાના ભાવે ફરી ફરીને એવી રીતે જૂદા જાદા સંબંધે અન્યા જ કરે છે.” સિદ્ધાન્ત મહાત્માની મેહરબાનીથી સુખ અને દુઃખના હેતુઓ કયા છે, કેવી રીતે રહેલા છે અને તે પ્રાણીપર કેવી રીતે કામ કરે છે તે મારા જાણુવામાં આવી ગયું અને મારી અન્નતા હતી તે દૂર થઇ ગઇ. આવી રીતે એ પ્રબુદ્ધ શિષ્ય જે પણ એક રાજા જ હતા તેને ઘણા સંતેાષ થયા, તેના અંતરાત્માને ઘણા આનંદ થયો અને છ એ રાજ્યાના વિચાર વારંવાર કરતાં, તે પર પર્યાલાચના કરતાં અને તે સંબંધી પૃથકરણ કરતાં તે નિશ્ચિંત થયા, આનંદમાં આવી ગયા, શાંતિ પામ્યા.પ * * * ૧ જીએ પ્રકરણ ૧૧ મું. ચાલુ પ્રસ્તાવ. ૨ જુએ પ્રકરણ ૧૨ મું. ચાલુ પ્રસ્તાવ. ૩ જુએ પ્રકરણ ૧૩ મું. ચાલુ પ્રસ્તાવ. ૪ શાસ્ત્રકાર અન્યત્ર કહે છે કે જેણે એક ભાવ સર્વથા જાણ્યા તેણે સર્વ ભાવે જાણ્યા એમ સમજવું. ૫ ઉત્તમસૂરિએ હિરરાજા પાસે પૃ. ૧૫૫૬ થી જે ઉપદેશ શરૂ કર્યો હતા તે અત્ર પૂરા થાય છે. જીએ પ્રકરણ નવમાને છેલ્લો ભાગ, પૃ. ૧૫૫૫-૫૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy