SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] ૬, વરિષ્ઠ રાજ્ય. ૧૬૧૭ અને મનુ તેમના તરફ ભક્તિરસથી ભરપૂર થઈ જાય છે, તેના તરફ ઘણો ઊંડે પ્રેમ લાવે છે અને તેમની સેવા ચાકરી કરે છે. તેઓ શું શું કરે છે તે કાંઈક અહીં તમને જણાવીએ. એવા પ્રકારની દેશના આપવા માટે દેવો એક સુંદર સમવસરણ બનાવે છે જેની અંદર ત્રણ ગઢો બનાવવામાં આવે છે તે અનુક્રમે રૂપા સોના અને ચિત્રવિચિત્ર પ્રકારના રોના બનાવેલા હોય છે.' ૧. આ મહારાજા વરિષ્ઠ (સર્વોત્કૃષ્ટ) છે એમ બતાવવા સારૂ આઠ મહાપ્રતિહાર્યની રચના કરવામાં આવે છે તે પણ અત્ર તને જણાવી દઉ છું. ચારે તરફ ભમી રહેલા ભમરાઓના સુંદર મધુર કંકારના અવાજથી ભરપૂર અને મનને આનંદદાયી સુકેમળ પલ્લવવિભૂષિત અતિસુંદર અશેકવૃક્ષ (આશપાલવનું ઝાડ) રચે છે. (આ અશકવૃક્ષ પ્રભુથી બારગણું ઊંચું હોય છે અને તેની નીચે બેસીને ભગવાન દેશના આપે છે.) ૨. મનહર ઝંકાયુક્ત ભમરાઓસહિત અનેક પ્રકારના પંચવણ (રાતા, ઘેળા, પીળા, લીલા અને શ્યામ) પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ અખલિત કર્યા જાય છે અને તેનાથી દશે દિશાઓ સુગંધમય થઈ રહે છે. (આ પુષ્પો સમવસરણમાં પડે છે, તેમનાં બીટ નીચાં અને મુખ ઊંચા રહે છે. આવાં ફૂલે ચાલનારની જાન સુધી પહોંચે તેટલાં સમવસરણમાં હોય છે.) ૩. વરિષ્ઠ મહાત્મા સમવસરણુમાં બેસી ધર્મદેશના આપે છે ત્યારે આકાશમાં દેવતાઓ આનંદદાયી સુંદર નિર્દોષ કરે છે (આ દિવ્ય વિનિ નામને ત્રીજો પ્રાતિહાર્ય છે. પ્રભુની વાણું અમૃતસમાન હોઈ સર્વને પ્રમોદ આપનારી હોય છે, પ્રભુ માલકોશ રાગમાં દેશના આપે છે, એ વખતે આકાશમાં દેવતાઓ વેણુવિણવિગેરેની જેવો સૂર પૂરે છે. આથી ગંભીર આલાપમાં વધારે થાય છે અને દેશના અતિ મનમેહક અને આકર્ષક લાગે છે.) ૧ સમવસરણના વિસ્તારથી વર્ણન માટે જુઓ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ લું સર્ગ ત્રીજો તથા સમવસરણું પ્રકરણ. આવા સમવસરણમાં બેસી પ્રભુ દેશના આપે છે. મોટા નગરમાં પ્રભુ આવે ત્યારે દેવતાઓ સમવસરણ બનાવે છે. ૨ અષ્ટ મહાપ્રાતિહાર્ચ તીર્થંકરને કેવળજ્ઞાન થયા પછી થાય છે. તેનું અહીં વર્ણન છે. એને વિસ્તાર અનેક ગ્રંથોમાં છે. દાખલા તરીકે જુએ શ્રીમદ્વિજયાનંદ સૂરિન તત્ત્વનિર્ણયપ્રાસાદ-દ્વિતીય સ્તંભ પૃ. ૭૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy