SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ કરવામાં આવે તે સફળારંભી હતી, કરેલા ગુણેને બરાબર સમજનાર અને જાણનાર હતા, પરમ ઐશ્વર્યવાળો હતો, કેડ ઉપર પૂર્વના પાક વૈરથી કે હાડ દુશમનાઈથી તદ્દન દૂર રહેનાર હતો અને મહા ઊંડા અને ગંભીર આશયવાળ હતા. વળી એને અવજ્ઞા માત્ર પરીષહ તરફ હતી, ઉપરાગ ગમે તેવા થાય તેની લેશમાત્ર બીક નહતી, ઇંદ્રિયસમૂહ પ્રત્યે ચિંતા માત્ર પણ નહોતી, મહામહ વિગેરે શવ્વર્ગની તેના મનમાં ગણતરી પણ નહોતી, ચારિત્રરાજ વિગેરે પિતાના લશ્કરના બળ ઉપર આત્મભાવ (પિતાપણું) હતો અને આખા ભુવન ઉપર ઉપકાર કરવાની બાબતમાં ઘણું જ આસક્તિ હતી. મહારાજ વરિષે ચોરને હટાવી દઈને પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો અને તેથી તેમાં અત્યંત આનંદ ફેલા તે વખતે તેને દિવ્ય રાજ્ય પરિણુત થયું, તેનામાં આવી ગયું; પછી સર્વદા આનંદઉત્સવવાળું રાજ્ય ભોગવતાં એ મહારાજાને બાહ્ય સંપત્તિ કેવી થઈ તેનું વર્ણન કરી બતાવું છું તે તમે સાંભળે. જે ઇંઢોએ ઝગઝગાયમાન થતાં મુગુટ, બાજુઓ, હારે અને કુંડળે પહેરેલાં બાહ્યસંપત્તિ છે અને જેનાં તેજથી સર્વ દિશામાં પ્રકાશ થઈ રહ્યો છે તેવા મોટા પુરૂષો તે એ મહારાજાના પાળા-સેનાનીઓ થઈને રહે છે; એટલું જ નહિ પણ આ આખા ત્રણે ભુવને તેની અંદરના દેવતા મનુષ્યો અને અસુરે જાણે એ મહારાજના સેવક થઈ ગયા હોય તેમ વર્તે છે. ટૂંકમાં કહીએ તે સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં જે સંપત્તિઓ છે તે સર્વે એમની થઈને રહી; પરંતુ એ મહારાજાને એ કઈ પણ સંપત્તિ કે સેવા તરફ કે તેમાં જરા પણ સ્પૃહા નથી, તેની ઈચ્છા નથી, તે મેળવવાની લાલસા અભિલાષા કે હોંસ નથી. એ સવેમાં તે તદ્દન નિઃસ્પૃહ છે. નિવૃતિ માર્ગ ઉપદેશ. સમવસરણ, પ્રાતિહાર્ય, અતિશયેની લક્ષ્મી, વળી એ મહારાજા વરિષ્ઠ જે માર્ગ નિતિનગરીએ જવા નીકળી પડ્યા છે તે માર્ગ કાંઈ તેઓ છુપાવી રાખતા નથી, ગુપ્ત રાખતા નથી, પરંતુ જાહેર રીતે સર્વ પ્રાણીઓ સમક્ષ તે માર્ગ બતાવી રહ્યા છે અને તેને ઉપદેશ તેઓ સ્પષ્ટ રીતે જાહેરમાં સર્વને આપે છે. આવો મહાનૂ સુખને માર્ગ તેઓશ્રી બતાવી રહ્યા છે તેથી દેવ અસુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy