SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ એ વરિષ્ઠ રાજાને સિદ્ધાન્ત' સાથે અગાઉ ઘણીવાર પરિચય થયે હતા અને એ જાતે બુદ્ધિશાળી હોવાથી સિદ્ધાન્તના વચનને અનુસરેલ હતા. આથી અત્યારે એમ હકીકત બની કે જ્યારે તેને હમણા રાજ્ય મળ્યું ત્યારે તેને સિદ્ધાન્તને પૂછવાનું કાંઇ બાકી રહ્યું નહિ, રાજ્ય શું છે, તેને પ્રાપ્ત કરવાનાં સાધના કયાં કયાં છે વિગેરે કોઇ બાબતમાં તેને ઉપદેશકની જરૂર ન રહી, કારણ કે આખી રાજ્યપરિસ્થિતિ એ મહાત્મા પોતે સારી રીતે જાણતા હતા, એનાં હેતુ અને સાધનાની તેને બરાબર ખબર હતી અને એ આખા અંતરંગ રાજ્યમાર્ગ દેખી શકતા હતા. તે મહારાજા પેાતાના રાજ્ય ઉપર સ્વશક્તિથી ગોઠવાઇ ગયા એટલે ત્યાર પછી અનેક અહિરંગ મહાત્માએ તેના પાયદળ લકરમાં દાખલ થયા. આવી રીતે જે મહાત્મા એ વરિષ્ઠના સૈન્યમાં દાખલ થયા તેમના હાથ નીચે અહિરંગ પ્રદેશમાં જૂદા જૂદા ટાળા સોંપેલા હોવાથી લોકોમાં તેઓ “ ગણધર ” નામથી પ્રસિદ્ધ થયા. જેમ સૈન્યમાં સેનાપતિના હાથ નીચે લશ્કરીઓની ટુકડીએ હાય છે તેમ આવા મહાત્માઓના હાથ નીચે સેનાનીઓની સંખ્યા બની રહે તેવી વ્યવસ્થા થઇ ગઇ. હવે વરિષ્ઠરાજા પોતે સિદ્ધાન્ત જાણીને આવ્યા હતા તેમણે પોતાના ગણધરોને એ સિદ્ધાન્ત ઉપકાર કરવાની અપેક્ષાએ બતાવ્યા. રાજાના હુકમથી સિદ્ધાન્તને આદરપૂર્વક પ્રાપ્ત કરીને તેઓ ( ગણધરા) તેનું શરીર સુંદર બનાવે છે. ( સિદ્ધાન્તનાં શરીરને અંગા કહેવામાં આવે છે, ગણધરો બાર અંગ મનાવે છે તેને અત્ર નિર્દેશ છે). ત્યાર પછી એ મહાત્માએ બરાબર નિર્ણયૂં કરીને અને Jain Education International ૧ આગમ, રહસ્ય ગ્રંથેા. તેને પરિચય તે અગાઉના ભવામાં તીર્થંકરેને હાય છે અને તે ભવમાં તેમને શીખવા જવું પડતું નથી, તેમને જ્ઞાન અંદરથી જાતે જ ઉત્થાન પામે છે. ૨ આ તીર્થંકરની હકીકત છે. તીર્થંકર સ્વત: જ્ઞાની હેાય છે. તેને સંપૂર્ણ જ્ઞાન થાય ત્યારે પ્રથમ ગણધરાની સ્થાપના કરે છે, તેમને નેવા, વિનમેવા લેવા “ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, સ્થિર રહે છે. ” આ ત્રણ પદ-ત્રીપદી આપે છે. તેનાપર અંતર્મુહૃર્ત ગણધર વિચાર કરે છે. મહા બુદ્ધિશાળી વિદ્વાન્ પ્રથમ સર્વ વસ્તુઓને ઉત્પન્ન થતી નુએ છે, પછી તેને નાશ જુએ છે અને તેમાં સ્થિરભાવ જુએ છે. એને અંગે તેમને દ્રવ્ય ગુણ અને પર્યાયનું ખરાખર જ્ઞાન થઇ જાય છે, સહભાવી અને ક્રમભાવી વસ્તુ અને આત્મગત ધર્મો દેખાય છે અને એમ વિચારણા કરતાં પેાતે વસ્તુ સમજી જાય છે અને પેાતાનાં આગમે બનાવે છે. દરેક ગણધરના આગમે-ખાર અંગેા બહુધા જૂદા જ હાય છે, ભાવ એક સરખા જ હેાય છે. તીર્થંકર તેમને ત્રૌપદી બતાવે છે અને તેને પિરણામે વિચાર કરતાં ગણધર સિદ્ધાન્ત ગ્રંથાની યાજના કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy