SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ કર્તવ્ય રહ્યું. ચિત્તવૃત્તિ નગરીનું મહારાજ્ય એણે સુંદર રીતે પાળ્યું તેને પરિણામે નિવૃતિનગરીમાં અનંત કાળ રહેવાનું થયું. એવી રીતે વિધિપૂર્વક રાજ્ય પાળીને ઉત્તમરાજા નિર્વતિનગરીએ પહો. ૧ ઉત્તમ પુરૂષોનું વર્ણન કરતાં શ્રીમાન ઉમાસ્વાતિ વાચક લખે છે કે મોક્ષાયવ તુ ઘરતે, વિશિમતિ તમઃ પુરુ૫ઃ ઉત્તમ પુરૂષ મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે. મોક્ષ પુરૂષાર્થને કર્તવ્ય માની તેને માટે જ પ્રયાસ કરનાર ઉત્તમની પંક્તિમાં આવે છે. પંડિત ક્ષેમંકર ગણિ વિસ્તારથી વિવેચન કરતાં આ ઉત્તમ વર્ગના પુરૂષ માટે કહે છે કે ઉત્તમ પુરૂ ચારે પુરૂષાર્થો માને છે પણ પરમ પુરૂષાર્થ એક મેક્ષ જ છે એમ સ્વીકારી તેને માટે જ ધ્યાન આપે છે અતિ વિશાળ મોહજાળને છેદનારા, વિષયરૂપ ઘરને ભાંગી નાખનારા, જડ ઘાલી બેઠેલા અને વિવેકને આ છાદન કરનારા, અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરનારા, પ્રાણીહદયમાં શલ્યરૂપે કામ કરનાર રાગદ્વેષરૂપ મલ્લોને ગળામાં હાથ નાખી ધક્કો મારનારા, સુખને નાશ કરનાર સ્નેહપાસને કાપી નાખનારા, આખા જગતને બાળી નાખનાર પ્રબળ કરોધઅગ્નિને શાંત કરનાર, વિનયવાળી ચિત્તવૃત્તિને ભાંગી નાખવાથી તીવ્ર બનેલા માનપર્વતનો ચૂરો કરનારા, જગતને છેતરનાર માયાવેલડીઓના આખા વનને ઉખેડી મુકનારા, સમગ્ર દેનાં સ્થાનરૂપ લભસમુદ્રનું ઉલ્લંઘન કરનારા, કુમાર્ગ પ્રવૃત્તિ કરનાર, દુષ્ટ ઇંદ્રિય રૂપ અશ્વને પિતાને કબજે રાખનારા, વિષયભોગની તૃષ્ણને દરથી લાત મારનારા, પરીષહ રૂ૫ મેટા યોદ્ધાઓથી કદિ ન છતાયલા, મહાભયંકર ઉપસર્ગો વડે જરા પણ ખંડિત નહિ થયેલા, સ્ત્રીઓના વિલાસેથી અતિ દર રહેનાર, નિંદિત પરિચયવાળા લોકોની સંગતિ પણ નહિ કરનારા, અસંયમથી તદ્દન દૂર રહેનારા, પરમાર્થને બરાબર જાણનારા, કુધર્મને કદિ પણ ન સેવનારાઆવા પુરૂષે ક્ષણિક સંસારી સુખના બંધનમાં ફસાયા વગર સ્ત્રીપુત્રાદિને સંબંધ કર્મના પરિણામ રૂપ છે એમ સમજી તેમાં રાચી માચી ન જતાં સર્વ દુઃખની નિર્જરાની કારણભૂત દીક્ષા અંગીકાર કરે છે. આ વ્યાખ્યા પ્રમાણે સાધુઓ ઉત્તમ વિભાગમાં આવે છે. ત્યાં મહેન્દ્ર કુમારની વાર્તા આપવામાં આવી છે. એ કુમાર અનેક રૂપાળી સ્ત્રીઓ પરણ્યો, પિતા તરફથી અઢળક દ્રવ્ય અને રાજ્ય મળ્યું, છતાં વસ્તુસ્વરૂપ જ્યારે સમજવામાં આવ્યું ત્યારે સર્વ વસ્તુઓ છોડી દઈ સર્વને ત્યાગ કરી દીક્ષા લઇ આત્મહિત સાધવાનાં કાર્યમાં લાગી ગયે. માત્ર મોક્ષને માટે યત કરનારાઓને સમાવેશ આ પાંચમાં પ્રકારના પુરૂપોમાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy