SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪ ] ૫. ઉત્તમરાજ્ય. ૧૬૧૧ પ્રકારના ઉપદ્રવે નથી; ત્યાં તેા તદ્દન સ્વાભાવિક, માધા પીડા વગરનું, પેાતાને સ્વાધીન, અન્ય ઉપમા વગરનું અનંત સુખ સુખ અને સુખ જ છે અને તે એવું સુંદર છે કે એનેા ખ્યાલ માત્ર ચેગીઓને જ અનુભવદ્વારા આવી શકે. બીજાં સુખા મહાર લેવા જવાં પડે છે, એ નગરનાં સુખા સ્વભાવે અંદરથી જ મળે છે; બીજા સુખમાં વચ્ચે કાંઇ પીડા ઉદ્વેગ થાય છે, મેાક્ષનાં સુખમાં કાંઇ પીડા અડચણુ અંતરાય થતાં નથી; ખીજાં સુખામાં અન્ય પાસેથી વસ્તુ ધન સમય સહાય આદિની અપેક્ષા રહે છે, નિવૃતિનગરીનાં સુખા પેાતાની ઉપર જ આધાર રાખે છે; બીજાં સુખાનેા છેડો આખરે આવે છે અને ત્યારે પાછું દુ:ખ થાય છે, મેાક્ષનાં સુખને કદિ છેડો આવતા નથી; દુનિયાદારીનાં સુખાને સરખાવવા બીજી ચીને હાય છે, મેાક્ષનાં સુખ અવર્ણ અતકર્યુ છે અને તેની સાથે સરખાવી શકાય એવી આ દુનિયામાં કોઇ પણ ચીજ નથી. એના અનુભવ થાય ત્યારે જ તે કલ્પી શકાય તેમ છે અને ખરો ખ્યાલ તે સંપૂર્ણ જ્ઞાની અથવા વિશિષ્ટ મહાયાગીને જ આવી શકે તેમ છે. આવી રીતે ઉત્તમરાજાએ પોતાને મળેલ રાજ્ય પાળ્યું જેને પરિણામે એ પેલી નિવૃતિનગરીએ ગયા અને તદ્દન ચિંતા વગરના થઇ ગયા. હવે એ ઉત્તમકુમારના પિતા અને તેને રાજ્ય આપનાર કર્મપરિણામ રાજા હતા તેને પણ જીતીને તેણે તદ્દન હટાવી દીધો. જે નગરીમાં એ ઉત્તમ રાજા ગયા તે નગરી કર્મપરિણામના અધિકારની બહાર હતી, ત્યાં એનાં રાજ્ય કે જોર જરા પણ ચાલે તેવું નહતું, એટલુંજ નહિ પણ એ નગરીએ ગયેલાએ કર્મપરિણામને જરાએ ખંડણી પણ માકલતા નહોતા. આથી એ ઉત્તમરાજા તા કર્મપરિણામથી તદ્દન સ્વતંત્ર થઇ ગયા અને પાતે તે અનંત આનંદ અને વીર્ય તેમજ જ્ઞાન અને દર્શનથી પરિપૂર્ણ થઇ નિરંતરને માટે આનંદ કરતા ત્યાં રહેવા લાગ્યા. એને સર્વ પ્રકારની ક્રિયાઓ કરવી પણ બંધ પડી ગઇ, માત્ર જ્ઞાનદર્શનમાં રમણ કરવું એજ તેનું અશેષ ૧ ઢૌક રાબ્દ મૂળમાં છે. રાજ્ય એવું હતું કે ત્યાંના રાજા આવા અર્થ પણ થઇ શકે છે. તેના અર્થે નજીકજવાપણું એમ થાય છે. એ પિતા કર્મપરિણામની પાસે પણ જતા નહેાતા. ૨ મેાક્ષમાં ક્રિયા હેાતી નથી, જ્ઞાનદર્શનમાં રમણ કરવું એ જ ચારિત્ર ત્યાં હાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy