SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪]. ૫. ઉત્તમરાજ્ય. ૧૬૦૭ થશે. તારી આખી રાજ્યભૂમિ (અંતરંગ) વધારે વધારે શ્વેત અને વિશુદ્ધ થતી જશે. તેમાં રાજસપણું અને તામસપણું અગાઉ રહેતું હતું તેનું નામ પણ નહિ રહે. એ મેટે રસ્તે આગળ વધતાં વળી શુકલધ્યાનકકી. “પાછો એક શુક્લધ્યાન નામને દંડેલક આવશે. એ રસ્તે ચાલતાં મેલવગર વિશુદ્ધ કેવળાલક તને થશે, તું સર્વ વસ્તુઓને અને ભાવને શુદ્ધ આ “કારમાં યથાસ્થિતપણે જોઈ શકીશ. એ દંડેલકને નિબજોગ. “છેડે વળી નિબજોગ નામનો માટે રસ્તો આ વશે. એ રસ્તા ઉપર ચાલતાં આકરા શત્રુઓને સરખા કરવા માટે તારે કેવળી સમુદ્યાત નામનો “ભારે માટે પ્રયત્ન કરે અને તેમ કરીને તારે ગિતાળનાશ “યોગ નામના ત્રણ દુષ્ટ વૈતાળાને નાશ કર." ૧ રાજસી પ્રકૃતિમાં આળસ સ્વાદ વિગેરે આવે છે અને તામસી પ્રકૃતિમાં કામ ક્રોધ લેભ મદ વિગેરે છ શત્રુઓ આવે છે. સાવિક પ્રકૃતિ સુંદર ગણાય છે. બાહ્ય ભાવ મટી આંતર ભાવ વધતાં આ સ્થિતિ થાય છે. ૨ મતલબ તને કેવળજ્ઞાન થશે. ૩ કેવીસમુદઘાતઃ અઘાતી કોને સરખા કરવા માટે કેવળીને એ સમદઘાત કરવો પડે છે. એમાં ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશપ્રદેશ પર પિતાના આત્મપ્રદેશને મૂકી વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચારે કર્મોને સરખા (ચારેને એકી વખતે ક્ષય થઈ જાય એવા પ્રકારનાં) કરવામાં આવે છે. એ કરતાં કુલ આઠ સમય થાય છે. આત્માની અદ્દભુત શક્તિનું એ પરિણામ છે. પ્રથમ સમયે એમાં દંડ કરી આત્માના પ્રદેશને સમણીએ સીધા લાકડી જેમ ગોઠવે છે. બીજે સમયે તેને કપાટ કરે છે એટલે દંડને સમ બાજુએ ગોઠવે છે, આથી ચૌદરાજ પ્રમાણ “સ્લેટ' થઈ જાય છે. ત્રીજે સમયે મંથાન કરે છે એટલે બેની ચાર બાજુ દંડમાંથી થઈ જાય છે. એથે સમયે આંતરા પૂરે છે. પાંચમે સમયે આંતરા સંહરે છે. છઠે સમયે મંથાન સંહરે છે. સાતમે સમયે કપાટ સંહરે છે અને આઠમે સમયે દંડ સંહરે છે. આથી કમાં સમસ્થિતિમાં આવી જાય છે. આ અદ્ભુત પ્રયોગ છે. એને ખ્યાલ અનુભવીને પૂછવાથી બરાબર આવશે. આત્માને અને વિશ્વનો છે સંબંધ છે તે આથી સ્પષ્ટ થશે. જુઓ નેટ (૫. પ્ર. ૧૬ ૫. ૧૨૮૦-૮૧). ૪ અહીં “ગ” કહ્યા છે તે મન વચન કાયાના યોગને નિરોધ સમજવો યેગાને સર્વથા નિરોધ થતાં ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. જો કે એના પર અંકુશ તો અંતરંગ રાજ્યમાં પ્રગતિ થતી જાય છે તેમ થતો જ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy