SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૬ ધારણ નદી. ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૬ “ણામે તારા અંગિત ભાયાત રાજાએ વધારે પુષ્ટ “થાય અને મહામહ રાજના લશ્કરીઓ દબાઈ જાય “અને બળહીન થઈ જાય એટલે વળી તારે આગળ “પ્રયાણ કરવું. આગળ ચાલતાં ઉપર જણાવેલાં મહાન સરોવરમાંથી નીકળતી એક ધારણા નામની મોટી નદી તારા રસ્તામાં આવશે. તારે તારી સર્વ “હલચાલે અને આસનોને સ્થિર કરી દઈને અને શ્વાસોશ્વાસને પણ બંધ કરી દઈને તેમજ સર્વ ઇંદ્રિયેનો વ્યાક્ષેપ તજી દઈને એકદમ એ નદીએ પહોંચી “જવું. એ નદીએ જ્યારે તું પહોંચીશ ત્યારે મહામહ “વિગેરે દ્વારા મોટા ભયંકર દુશ્મનો એ નદીમાં સંકલ્પ “વિકલ્પ રૂપ અનેક મેજઓ ઉત્પન્ન કરશે, પરંતુ “તારે અત્યંત સાવધાન રહીને જેવાં એ મોજાંઓ ઊઠે “કે તુરતજ તેને ભાંગી નાખવાં. એ નદી ઓળંગીને “ તું આગળ ચાલીશ ત્યારે તારા જોવામાં *ધર્મધ્યાન નામનો દંડેલક આવશે. એ નાનો ટુંકે રસ્તો છે. “એ નાના રસ્તાને માર્ગ તારે ચાલવું. એ દંડેલક આગળ ચાલતાં સબીજગ નામના મેટા રસ્તા “ઉપર પડશે. એ માટે રસ્તે ચાલતાં મહામોહવિ ગેરે તારા સર્વે ભયંકર શત્રુઓનો નાશ થતો જશે “ અને તેઓને રહેવાનાં સર્વ સ્થાનકે પણ અસ્ત વ્યસ્ત થઈ ઊંચાં નીચાં થઈ જશે, પડું પડે જેવી “સ્થિતિમાં આવી જશે. વળી એ રસ્તે ચાલતાં ચારિત્રધર્મવિગેરે અનુકૂળ મિત્રો વધારે બળવાન ધર્મધ્યાન ‘ડેલ ક. સ બી જ યોગમાર્ગ. ૧ યુગમાં ધારણા પ્રાણાયામ પછી અને ધ્યાન પહેલાં આવે છે. એનાથી ચિત્તની સ્થિરતા થાય છે, મનની એકાગ્રતા વધે છે અને યોગનિષ્ઠતા પ્રાપ્ત થાય છે. એને વધારે વિવેચન માટે જુઓ યોગ ગ્રંથ. ૨ ધારણું પછી દયાન આવે તેમાં પ્રથમ ધર્મધ્યાન અને પછી શુકલધ્યાન. એ દરેકના ચાર ચાર પાયા છે. ધર્મધ્યાન સબીજધ્યાન કહેવાય છે. શુકલધ્યાન નિબજ છે. કર્મથી સર્વથા મુક્તિ શુકલધ્યાન કરાવે છે, બીજ એટલે કર્મ. યોગશાસ્ત્રમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનનું વિસ્તારથી વર્ણન છે. ૩ ડેલક એને માટે મૂળમાં ૩ો શબ્દ છે. એનો અર્થ “બે પર્વતવચ્ચેની ખીણ પ્રદેશ” પણ થાય. એ પૂલ (bridge) જેવા હોય છે. હિમાલયમાં બહુ સ્થાને છે, કેડી” શબ્દ મેં મૂકે છે તે પણ યોગ્ય જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy