SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩] ૩. ૪. વિમધ્યમ–મધ્યમરાજ્ય. ૧૫૮૩ થશે ત્યારે અસંખ્ય સુખથી ભરપૂર વિબુધાલયમાં તેને (મધ્યમ) લઈ ગયે.' ૧ ચોથા મધ્યમ વર્ગના જીવોનું પૃથક્કરણ કરતાં તવાર્થભાષ્યમાં પૂજ્યપાદ ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે ઘોહિતાવ, કવનને મધ્યમઃ શિવા ના મધ્યમ પ્રાણી સર્વદા પરલોકમાં પોતાનું હિત થાય તેટલા માટે ધર્મક્રિયામાં પ્રવર્તે છે. અધમાધમ બન્ને બગાડે છે, અધમ આ ભવને જ જુએ છે, વિમધ્યમ બન્ને સુધારવા સ્વત્ર કરે છે ત્યારે મધ્યમ પરલોકના હિતની અપેક્ષા રાખી સર્વ કાર્ય કરે છે, પપુરૂષ ચરિત્રના લેખક ક્ષેમકરગણિ જણાવે છે કે-મધ્યમ પુરો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થને માનનારા હોય છે, પણ એ ચારમાં મોક્ષને પરમ તત્વ માને છે; છતાં એનામાં સત્ત્વની હીનતા હોય છે અને એ સ્ત્રીપુત્રમાં બંધાયેલા રહે છે, એ પરમાર્થ બરાબર જાણે છે, સંસારની અસારતા સમજે છે, વિષયીઓને થતાં ભયંકર પરિણામો અવલોકે છે, ઇન્દ્રિયોની ઉન્માગમનવૃત્તિ સમજે છે, છતાં વિષની મધુરતાને લીધે, ઇદ્રિ ચપળ હોવાને લીધે, સંસારસ્વભાવ એકદમ ન ઓળંગી શકાય તેવો હોવાને લીધે, (તેને) મોક્ષ નજીક ન હોવાને લીધે અને કર્મનો પ્રભાવ અચિંત્ય હોવાને લીધે તેવા પ્રાણી દીક્ષા ગ્રહણ કરી શકતા નથી, સર્વવિરતિ આદરી શકતા નથી અને સંસારમાં રહી બનતું ધર્મધ્યાન કરે છે. જીવ અજીવ તત્વને જાણનારા સમ્યગ્દષ્ટિ જીવો જિનવચનના રહસ્યને જાણનારા, પોતાની શક્તિ પ્રમાણે ત્યાગ કરી વૃત્ત પચ્ચખાણ કરના શ્રાવકે આ વર્ગમાં આવે છે. ઉપરાંત જે સ્વભાવે ભદ્રક હોય, અંતઃકરણપૂર્વક દયા કરનારા હોય, શક્તિ છતાં શાંતિ, નિરભિમાન, સરળતા, નિર્લોભ આદિ ગુણયુક્ત હોય, દાન આપનારા, શીળ પાળનાર, તપ કરનારા અને અંતરમાં શુદ્ધ ભાવ ભાવવાવાળા હોય તેવા પ્રાણીઓ આ મધ્યમ વર્ગના છે. આ સંબંધમાં જિનચંદ્ર નામના એક વણિકપુત્રનું દષ્ટાન આપ્યું છે એ કુમાર સાહસિક અને પોતાના બળ ઉપર આધાર રાખનાર હોઇ લમી પ્રાપ્ત કરવા પરદેશ વહાણમાં ગયે, ત્યાં ચાર સ્ત્રીઓ પર, સમુદ્રમાં ડૂબે તો પણ દેવકૃપાથી ઋદ્ધિ અને સ્ત્રીઓને મેળવી શકો અને અનેક પ્રકારની દ્ધિ સમૃદ્ધિ ભોગવતા છતાં ભવનભાનુ ગુરૂની કૃપાથી દેશવિરતિ અંગીકાર કરી આનંદથી રહેવા લાગ્યો. સર્વ ગ્રંથકારોના મત પ્રમાણે દેશવિરતિધર શ્રાવકો અને સત્ય તત્વ સમજના-મોક્ષાભિલાષી ૫ણુ કષ્ટસાધ્યની કોટિમાં મૂકવા યોગ્ય પ્રાણીઓને આ ચોથા વિભાગમાં સમાવેશ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy