SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા [ પ્રસ્તાવ ૬ ધ્રુજતા રહ્યા, બીતા રહ્યા. ચારિત્રધર્મ વિગેરે રાજાઓ પિતાના શેઠનું આટલું પણું વીર્ય જોઈને મનમાં જરા જરા મલકાતા રહ્યા અને પિ તાના મોટા લશ્કર નગર અને સંબંધીઓ સાથે મળીને રાજી થયા, જે યોગિની દષ્ટિદેવીએ અગાઉ રાજાઓને વશ કરી લીધા હતા તે પણ મધ્યમરાજને અત્યંત બાધા પીડા નીપજાવી શકી નહિ. ઉપર પ્રમાણે હકીકત બનવાથી મધ્યમરાજા જેણે પિતાના મંડળને થોડું થોડું જીતી લીધું હતું, તે પિતાનું રાજ્ય ચલાવવામાં સમય પસાર કરતા હતા અને પિતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે ગ્ય અવસરની રાહ જોતો હતો. બહિર્દેશમાં એ મધ્યમરાજના બહુ વખાણ થયા લેકે કહેવા લાગ્યા કે આ રાજા ખરે ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે, એને સાચે માર્ગ પ્રાપ્ત થયું છે, એને ધન્ય છે. સ્વરૂપ દર્શન, જૈનશાસનમાં વર્તતા જે જીવોએ સાચે માર્ગ પ્રાપ્ત કર્યો હેય, જેનાં મન સાચી શ્રદ્ધાથી શુદ્ધ થયેલાં હય, જેઓ જીવા અજીવ વિગેરે તના જાણકાર હોય, જેઓ પોતાની શક્તિ પ્રમાણે બને તેટલાં પાપોથી પાછા હઠેલા હોય (દેશવિરતિયુક્ત), જેઓ પોતાની વિશુદ્ધ પરિણતિથી આખા ભુવનને બની શકે તેટલે આનંદ-આહ્વાદ કરાવનાર હેય-આવા પ્રાણીઓ જે પ્રકારનાં અનુષ્ઠાન કરે તે પ્રકારનાં આચરણે મધ્યમરાજાએ પોતાનું રાજ્ય ભગવતી વખતે કર્યો હતો એમ સમજી લેવું, પરલકને માટે ઉદ્યમ કરનારા આવા જે પ્રાણુઓ હોય અને જેઓ મોક્ષને ખરેખરૂં તત્ત્વ સમજી ગયા હોય તેઓ જે પ્રકારનું વર્તન કરે તેવા પ્રકારનું વર્તન કરનાર આ મધ્યમરાજા હતા. એ મધ્યમરાજના પિતા કર્મપરિણામ હતો તે તેના આવા પ્રકારના વર્તનથી કાંઈક રાજી થયે. એટલે જ્યારે એને રાજ્યકાળ પૂરે ૧ દેશવિરતિની ભાવના હમેશા સર્વસંગત્યાગની હોય છે અને એવી ભાવના હોય તે જ દેશયાગ બરાબર બન્યો રહે છે અને આગળ પ્રગતિ થયા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy