SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ ] ૩. ૪. વિમધ્યમ-મધ્યમરાજ્ય. ૧૫૯૧ વિતર્ક કહે છે કે-વિષયાભિલાષમંત્રીએ મહામહ વિગેરે મહારાજાઓને મધ્યમ સંબંધી હકીકત નિવેદન કરી અને એ સર્વ હકીક્ત મેં ત્યાં લેકમાં વાતચીત ચાલતી હતી તે પરથી સાંભળી લીધી. અપ્રબુદ્ધ શિષ્ય તે વખતે પ્રશ્ન કર્યો “અહો વિતર્ક! તે બહુ સારી વાત સાંભળી ! હવે લોકોમાં તે તે વખતે આ સંબંધમાં બીજું વધારે શું શું સાંભળ્યું તે વિગતવાર મને કહી સંભળાવ. વિતર્ક વાત આગળ ચલાવી. } મેહરાયની ભૂમિ પર અર્ધ આક્રમણ, ચારિત્રરાજના સૈન્યમાં મેટે આનંદ, ગિની દૃષ્ટિદેવીની અકિંચિત્કરતા. "આપને જે સિદ્ધાન્તગુરૂએ સર્વ વાત અગાઉ કરી હતી તે જ સિદ્ધાન્તની સાથે એ મધ્યમરાજાને ઓળખાણ હતી, સારે પરિચય પણ થયેલ હતું અને એ ગુરૂ મધ્યમરાજ સાથે સારે સંબંધ રાખતો હતે. એ સિદ્ધાન્ત ગુરૂએ એક વખત સાધારણુ વાતચીતમાં ઉદેશપૂર્વક એને સમજાવી દીધું હતું; તેથી પિતાના અંતરંગ રાજ્યને એ મધ્યમરાજ કાંઈક ઓળખી ગયો હતો. સિદ્ધાતે તેને તે વખતે જે ઉપદેશ કર્યો તેથી ચારિત્રરાજનું લશ્કર પણ તેના ઓળખવામાં જરા જરા આવી ગયું અને પિતાનું અસલ રૂપ અને ખરેખરી ઋદ્ધિ રામૃદ્ધિ કેટલાં અને કેવાં હતાં તે પણ ઘણું ખરું તેના જાણવામાં આવી ગયું હતું. વળી એ સિદ્ધાન્તગુરૂના કહેવાથી મહામોહ વિગેરેની શત્રુતા કેવી આકરી છે અને ચોર તરીકે તેઓનું જીવન કેવું ભયંકર છે તે પણ તેના (મધ્યમરાજના) જાણવામાં આવી ગયું હતું. આ પ્રમાણે હકીકત હોવાથી મધ્યમ રાજાએ અંદરથી પિતાનું બળ (વીર્ય) વાપરીને થોડી થોડી અંતરંગ રાજની ભૂમિ પિતાને તાબે કરી અને અડધા રસ્તા સુધીનું રાજ્ય પિતાના હાથમાં લઈ લીધું. આ પ્રમાણે હકીકત બનવાથી ચારિત્રરાજ વિગેરે જે મધ્યમરાજના પિતાના સેનાનીઓ હતા તે જરા રાજી થયા અને પેલા ચારે અને ધાડપાડુઓને જરા પીડા થઈ આવી. આ પ્રમાણે બનવાથી મહામહાદિ ચાર મધ્યમરાજનું વીર્ય કેટલું છે તે જોઈ ગયા એટલે તેઓ પણ તેનામાં આસક્ત જ રહ્યા, તેના રાજ્ય ઉપર પોતાની સત્તા અને પિતાનો દેર એકલો ચલાવવાનો વિચાર માંડી વાળે, પરંતુ સર્વે ચોરે તેના નોકર જેવા થઈને તેની પાસે ને પાસે રહ્યા અને પિતાના મનમાં અંદરખાનેથી ૧ સિદ્ધાન્તને આ અપ્રબુદ્ધ શિષ્ય છે તે માટે જુઓ પૃ. ૧૫૫-૫૮, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy