SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. (૪) મધ્યમ રાજ્ય, એવી રીતે વિમધ્યમ નામના ત્રીજા પુત્રનું રાજ્ય પૂરૂં થયા પછી ચેાથે વર્ષે મધ્યમ નામના ચોથા પુત્રનું રાજ્ય થયું. અંતરંગ રાજ્યપર તેની નીમણુક જાહેર ઘોષણાથી અગાઉ માફક પ્રસિદ્ધ કરવામાં આવી. અગાઉની પેઠે મહામેાહ અને તેના મંત્રી વચ્ચે આ રાજા સંબંધી વાતચીત અને વિચારણા થઇ, તે પ્રસંગે વિષયાભિલાષમંત્રીએ નીચે પ્રમાણે હકીકત જણાવી. Jain Education International મધ્યમરાજનાં લક્ષણા “ મહારાજ ! આ મધ્યમ નામના નવા રાજા આવ્યા છે તે ભાવપૂર્વક ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોમાં આખા વખત ચાલુ પ્રયાસ કરનારો છે, વળી એ ચાર પુરૂષાર્થોમાં પણ મેાક્ષને જ ખરા પરમાર્થ સ્વરૂપે જાણે છે, એને પરમ સાધ્ય ગણે છે અને એ મેળવવા માટે અને તેટલા પ્રયત્ન કરવા જોઇએ એમ ખરાબર સમજે છે, વળી તે એમ પણ જાણે છે કે એ મેાક્ષરૂપ સાધ્ય પ્રાપ્ત કરવાનું પરમ સાધન ધર્મ પુરૂષાર્થ છે, એ હકીકતને લક્ષ્યમાં લઇને એ અર્થ અને કામ પુરૂષાર્થોમાં બહુ આસક્ત થતા નથી. વળી એ ધન અને વિષય ( અર્થ અને કામ )ના દાષા સારી રીતે વિચારી શકે તેવા છે તે પણ તેનામાં અત્યંત વિશાળ પરાક્રમની ગેરહાજરી હોવાને લીધે તે બન્નેને અંગે પ્રવૃત્તિ કર્યાં કરે છે અને પેાતાના પુત્ર સ્ત્રી સગાં વિગેરેને જો કે એ ખરેખરા પરમાર્થથી બંધનરૂપ સમજે છે છતાં તે અંધન છેડી શકતા નથી; વસ્તુસ્વરૂપ તે બરાબર સમજે છે, પણ તેનામાં સત્ત્વ પૂરતું ન હેાવાથી બહાર પડી શકતા નથી; ખાકી એની લાગણી મેાક્ષ મેળવવા તરફ છે, એનું ચિંતવન હંમેશા લક્ષ્ય તરફ રહે છે.” [ પ્રસ્તાવ હૈ વધ કર્યો. પછી જન્માંતરમાં પેાતે પાછે તેને વધ કર્યો અને પાછે! પેાતાને વધ થયા. મતલખ ધર્મનું બરાબર સ્વરૂપ ન સમજવાથી ધર્મને બ્હાને તેને મહા ત્રાસ ઉત્પન્ન થયા. દૃષ્ટિરાગવાળા સર્વ જીવાને આ વર્ગમાં સમાવેશ થાય છે. આ સર્વ બાબતેનું પૃથક્કરણ કરતાં જણાય છે કે વિધ્યમ નામના ત્રીજા વિભાગમાં બહુધા સંસારઆસક્ત, અર્થે કામમાં તત્પર, વચ્ચે વચ્ચે ધર્મ કરનાર વહેવારૂ મનુષ્યાને સમાવેશ થાય છે. પાપભીરૂ અને સાધારણ રીતે ઠીક ઠીક રીતે વર્તનાર રોઠીઆઓ, પ્રમાણિક કરો અને લેાકેાત્તર મિથ્યાત્વને અંગે ધર્મ કરનાર જૈન એ સર્વ આ ત્રીજા વિભાગમાં આવે છે. આંતર દૃષ્ટિએ તેને ધર્મ થતા જ નથી, બાહ્ય રીતે સારા દેખાય છે અને તેમનું સાધ્ય બહુ સાદું અને અપેક્ષિત હાય છે, આત્મિક ઉત્થાનને અંગે શૂન્યતા હાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy