SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] ૩. ૪. વિમધ્યમ-મધ્યમ રાજ્ય. ૧૫૮૭ વિમધ્યમ માટે મંત્રીને મત. ધર્મ માટે તેની સહજ લાગણી, ઉપાયનો નિર્ણય અને અમલ, વિષયાભિલાષ મંત્રીએ જવાબ આપ્યો “મહારાજ ! આ નવો રાજા થઈને આવ્યો છે તે આપણું તરફ પ્રેમથી જોનાર તો છે અને તેથી આપણને વહાલે તે ખરે; પણ એ ચારિત્રરાજ તરફ પણ જરા જરા જોયા કરે છે. એ ન રાજા આપણને પોતાના ભાઈ જેવા ગણે છે તેની સાથે એ પેલા ચારિત્રરાજાના લકરની પણ અપેક્ષા રાખે છે. વાત એટલી છે કે એને આપણી તરફ પક્ષપાત વધારે છે, એને આપણે માટે લાગણી અને હેત ઘણું છે અને ચારિત્રરાજ તરફ એનો આદર મંદ મંદ છે. એ રાજા આ લોક( આ ભવ)ના સંબંધમાં જેમ ચિત્ત લગાડ્યા કરે છે તેમ કઈ કઈ વખત ૧૨ લેક (પરભવ)ની વાત પણ એ જરા જરા કરે છે, પલક ઉપર એ જરા નજર પણ નાખ્યા કરે છે. એનું મન વિશેષ કરીને તો પૈસા પેદા કરવામાં અને પૈસાના રક્ષણ કરવામાં તથા કામગમાં આસક્ત છે પણ વચ્ચે વચ્ચે એ સહજ ધર્મ કાર્ય પણ કરે છે. એ પ્રકૃતિએ ભદ્રક (સરળ) છે, સર્વ દેવોની અને સર્વ પ્રકારના ગુરૂઓની સ્તુતિ કરનારે છે, દાન દેવાની ઈચ્છાવાળો છે, શીળ પાળવા તત્પર છે અને સાચા શાસ્ત્ર ઉપર કઈ પણ પ્રકારનું દૂષણ લગાડનાર નથી. આ પ્રમાણે હેવાથી રાજન ! આ નવ રાજા આપણને બહુ સારો નથી, કારણ કે એ ચારિત્રધર્મના સૈન્યને પણ જરા જરા જાણે છે અને એના તરફ સહજ ઢળતા છે. દેવ! તેટલા માટે આપણે આ વર્ષે જરા વધારે સાવધાન થઈને રહેવું પડશે. ગમે તેમ કરીને એ નવા રાજાને અંતરંગ રાજ્યમાં બનતા સુધી પ્રવેશ જ ન કરવા દેવો. જે એ સંબંધમાં ગફલતી કરી એને અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરવા દે. વામાં આવશે તે જે એ અંદર દાખલ થયો કે તુરત જ પિતાના સૈન્યને ઓળખી તેને પાળવા મંડી જશે અને પછી જરૂર આપણું લશ્કરને બાધા-પીડા કરશે, હેરાન કરશે. એ બહાર રહીને ( અંતરંગ રાજ્યમાં પ્રવેશ કર્યા વગર ) ઉપર ઉપરથી પોતાના લશ્કરની પરિપાલના સહજ કર્યા કરશે તે તેથી આપણું લશ્કરને ત્રાસ થશે નહિ, પણ એ જે અંદર દાખલ થયે તે આપણી પરિસ્થિતિ આકરી અથવા કડી જરૂર થઈ જશે. અગાઉ આપણે જેવી રીતે યોગિની દૃષ્ટિ સાથે રહીને અધમને બહારને બહાર રાખ્યો હતો તેમ આ નવા રાજાને પણ ગમે તેમ કરીને બહાર જ રાખ. જરા પણ વખત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy