SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્શણ ૧૨] ૨. અધમરાજ્ય-ગિની દષ્ટિદેવી. ૧૫૮૫ તે ભ્રષ્ટ થયું અને બાહ્ય પ્રદેશમાં જનસમૂહથી પણ નિંદા પામે. આખરે સર્વ લોકેએ એકઠા મળીને એ મહા અકાર્ય કરનારના અતિ અધમ કાર્યપર વિચાર કરી તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. કારણ કે માત્ર ગુણે જ સર્વત્ર પૂજાય છે. ત્યાર પછી બાહ્ય પ્રદેશમાં અતિ ભયંકર દુઃખ સહન કરીને આખરે નિકૃષ્ટ રાજાની પેઠે પાપીપંજર (નરક)માં મહા ખરાબ અવસ્થા પામ્યું. ત્યાં કર્મપરિણામ રાજાએ તેને કહ્યું કે “અલ્યા કરા! તે રાજ્ય બહુ ખરાબ રીતે કર્યું, તને રાજ્ય કરતાં આવડ્યું નહિ!—” આ પ્રમાણે કહીને તેને અને નેક પ્રકારની પીડાઓ કરવામાં આવી. ( વિતર્ક કહે છે કે, અપ્રબુદ્ધજી ! તે વખતે મારા મનમાં વિચાર થયો કે નિકૃષ્ટની પેઠે આ અધમરાજ રાજ્ય મળવા છતાં ૧ અધમનું સ્વરૂપ બતાવતાં તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે રુદ મે 1 અજમો અધમ પ્રાણુ આ ભવમાં જ બધું આવી ગયું એમ સમજે છે. એ સંબંધમાં ક્ષેમંકર ગણિ પપુરૂષ ચરિત્રમાં બહુ લંબાણથી ઉલ્લેખ કરે છે. પરલેકને નહિ માનનારા, કેવળ આ લેકને માનનારા, અર્થ અને કામને જ પુરૂષાર્થ માનનારા, ઇદ્રિયસુખની અભિલાષા રાખનારા, સંસારના ભય વગરના, જન્મમરણથી થનારા દુઃખને નહિ જાણનારા, કૃર કર્મના પરિણામને નહિ વિચારનારા પ્રાણીઓ આ કક્ષામાં આવે છે. ઈચ્છા મુજબ ખાવું પીવું, ગમે તેમ બેલવું, નીચ કર્મ કરવાં એ તેઓની જીવનપ્રવૃત્તિ હોય છે. એવા પ્રાણીઓ લોકનિંદાની અવગણના કરનાર અને કલાજ કે મર્યાદા શરમ વગરના હોય છે. નટ, બાણીઆ, જુગટીઆ, ચેર, કથક અને નાસ્તિકોને આ વર્ગમાં સમાવેશ થાય છે. ધર્મની નિંદા કરનાર, ધર્મીઓનું હાસ્ય કરનાર, મોક્ષની નિંદા કરનાર, આત્મા હોઈ શકે નહિ એમ માનનાર, સદાચાર તરફ હસનાર, અધમ લોકો પરલોક માનતા નથી, પૂજન સેવનને ઢોંગ માને છે, બ્રહ્મચર્યાદિ વ્રતપાલનને પોતાની જાતને છેતરવા જેવું માને છે, ધર્મના ઉપદેશ કરનારા ઢોંગીઓ છે અને તેનું કામ ભોળા લોકોને છેતરવાનું છે એમ તેઓ માને છે, દેવગુરૂની પૂજા એ ધનને ખોટો વ્યય કરવા જેવું છે એમ માને છે અને માત્ર ધન અને કામ પોતાની જાતને અંગે અને તેટલા પૂરતા ઉપયોગી ગણે છે. પૈસાથી સર્વ સત્તા માન અને કાર્યો બને છે તેથી તેને બહુ અગત્યના ગણે છે. અહીં તેમણે એક મેહરતિ પ્રધાનનું દૃષ્ટાન્ત આપ્યું છે. એ તદ્દન ખોટી સલાહ આપનાર અને રાજાને કમાર્ગે દેરનાર હતા, અને એને પોતાના ખેટા ઉપદેશને પરિણામે સંસારમાં ઘણું રખડવું પડયું હતું એમ તે કથામાં બતાવ્યું છે. સિદ્ધર્ષિગણિએ દુષ્ટિગિનીની કલ્પના આ પ્રસ્તાવમાં ચક્ષુરિંદ્રિયની હકીકત લાવવા માટે કરી છે, બાકી એમનું દષ્ટિબિન્દુ અંતરંગ બાણ રાજ્યને અંગે છે. અધમ માણસે અહીં વૈભવ ભોગવવા વાળા અને સ્વાત્મસંતોષી અથવા એકાંત સ્વાર્થી હોય છે એ સર્વ ગ્રંથકારોને અભિપ્રાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy