SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] ૨. અધમરાજ્યગિની દષ્ટિદેવી. ૧૫૮૩ ગણી દ્રષ્ટિદેવીને પિતાની ખરી વહાલી સગી માનવા લાગે, તેને જ પિતાની સમજવા લાગ્યો અને મહામહરાયના આખા સૈન્યને પિતાનું માનવા લાગે, તે પિતાનું હિતસ્વી છે, ખરા મિત્ર જેવું છે-એમ સમજવા લાગ્યો અને તેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકવા લાગે. મોહનું અધમપર સામ્રાજ્ય, રાજ્યનાશ-દુષ્ટ ચિંતવન, ચંડાળણુપર આસક્તિ: પાત, ઉપર પ્રમાણે હકીકત બન્યા પછી પેલા ચોરોના ટોળાએ (લશ્કર) ધીમે ધીમે તેનું આખું રાજ્ય પચાવી પાડ્યું અને તે પરતંત્રતામાં અધમરાજાને પિતાને તદ્દન વશ કરીને તેના પક્ષના આ ન દો અને તેને અનુસરનારા તાબેદાર રાજાઓ હતા તે સર્વને મારીને હટાવી દીધા. એ અધમરાજ આવી રીતે પિતાના ખરા રાજ્યથી તદ્દન ભ્રષ્ટ થઈ ગયે, પિતાના ભાઈઓ અને ખરા સંબંધીઓ વગરને થઈ ગયો અને પિતાના ખરા દુશ્મનથી ઘેરાઈને હત પરાક્રમ થઈ ગયે, છતાં એવી પરાજયની સ્થિતિમાં અને પારકાને તાબે રહેવાની હાલતમાં પણ આનંદ માનવા લાગે. શબ્દ વિગેરે ઇંદ્રિયના વિષયે જે પોતે જાતે દુઃખરૂપ છે, દુઃખનાં કારણે છે અને દુઃખને ઘણું વધારી મૂકનાર છે તેને પિતાના અજ્ઞાનથી પ્રાણુઓ સુખરૂપ અને સુખનાં કારણે માને છે. એ પ્રમાણે વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે તેને જરા પણ સાચો સ્પષ્ટ ખ્યાલ ન હોવાને લીધે તે ઇન્દ્રિયસુખમાં આનંદ માનવા લાગ્યું અને તેને જ ખરું સુખ માનવા લાગ્યું. બાહ્યપ્રદેશમાં તે એવા પ્રકારનો થઈ રહ્યો કે એને રાજસેવક સાથે અથવા નાટકીઆ (ભવાયા) સાથે અથવા ભાટચારણ સાથે અથવા તે જીગારીની સાથે સરખાવી શકાય. વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તે જાતે રાજા હોવા છતાં નાટકીઆ કે જુગારીના વેશે સંસારમાં ઓળખાવા લાગે અને તે તે જ છે એમ સર્વત્ર જણાયું.' મહામહરાયના લકરની અસર તળે તે દુનિયામાં વ્યભિચારી તરીકે ઓળખાવા લાગે, અત્યંત પાપી તરીકે ગવાય, સમજુ વિવેકીને મહા દયા ઉપજાવે તેવી સ્થિતિનો જ , ધર્મ ઉપર અત્યંત નાસ્તિક થયો, કુળ લેક કે સ ૧ આ અધમ કોટિના માણસો જુગારી, નાટકીઆ, ભાટચારણ અથવા રાજસેવક (મહા માયાવી- અમલની ધૂનવાળા પણ કરી હોય છે. ચાલુ પ્રકરણને અંતે નોટ આપી છે તે જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy