SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨] ૨. અધમરાજ્ય-ગિની દૃષ્ટિદેવી. ૧૫૭૮ વિષયાભિલાષ મંત્રીએ આવી રીતે વિસ્તારથી અધમનું સ્વરૂપ અને તેને અંગે કામ લેવાની રાજનીતિ જણાવી. છેવટે તેને રાજ્યમાં પ્રવેશ ન કરવા દેવાની વાત જણાવી એટલે તુરત જ મહારાજા મેહરાયે તેને પૂછયું “આર્ય! એ દુરાત્મા અધમ પિોતાના રાજ્યમાં પ્રવેશ જ ન કરી શકે તેટલા માટે એને બહાર રાખવાને જે ઉપાય હોય તે તમે વિગતવાર જણ જેથી એના ઉપર સર્વ સૈન્યનું ધ્યાન રહે.” મહામંત્રી વિષયાભિલાષ બોલ્યા “દેવ! મેં આપને હમણા જ જણાવ્યું કે એ અધમ અર્થ અને કામમાં ઘણો આસક્ત છે, માટે આપણે સર્વેએ મળીને એને અર્થ અને કામમાં ઘણું મશગુલ રાખો અને તેમ કરીને તે બાહ્ય પ્રદેશમાં જ રહે અને પિતાના અંતરંગ રાજ્યમાં આવે જ નહિ, દાખલ થવાને વિચાર જ કરે નહિ એમ કરવું. એ બાહ્ય પ્રદેશમાં આસકા રહેશે તે પોતાના રાજ્યની બહાર જ રહેશે.” તે સાંભળી મહારાજા મહરાયે હુકમ આપે કે મંત્રીની જના બરાબર છે. મંત્રી કહે છે તે પ્રમાણે અધમ અર્થ કામમાં આસક્ત રહી બાહ્ય પ્રદેશમાં જ રહ્યા કરે એવી આખા સૈન્ય ભેજના કરવી.” મેહરાય આ હુકમ સાંભળીને આખું લશ્કર પિતાના કાર્યમાં સજ્જ થઈ ગયું. દષ્ટિએ હાથમાં લીધેલ કાર્ય. તેનું બળ અને તેની હાંસ, દૃષ્ટિનું કાર્ય કરવા માટે પ્રસ્થાન, હવે એ વિષયાભિલાષ મંત્રીની એક દષ્ટિ નામની દીકરી છે, તે ઘણી હશિયાર અને પરમ ગિની છે, જાતે સ્વરૂપવાન, વિશાળ આંખો વાળી અને દેખાવે ભવ્ય સુંદર હોઈ ઘણી આકર્ષક છે. તે છોકરી પોતાના પિતાજીને તથા મહારાજાને કહેવા લાગી “દેવ! તમે તે અગાઉ દેવ દાનવ અને મનુષ્યોને જીતી લીધેલા છે તે અધમરાજા તે તમારી પાસે કઈ ગણતરીમાં છે કે તેને એકલાને જીતવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છે. અરે મહારાજ ! મને એકલીને જે આપ રજા આપો તો બહુ થોડા વખતમાં હું એને વશ કરી લાવું અને તમારા તાબામાં રહે ૧ અહીં દષ્ટિદેવીને ખાસ સ્થાન આપવાનું કારણ છે. આ પ્રસ્તાવમાં ચોથી ચક્ષુરિંદ્રિયનું વર્ણન આપવાનું છે તે કાર્ય આથી સિદ્ધ થાય છે અને અધમ જેવાને મોહરાયના સૈન્યનું એક માણસ કે છોકરી પણ બાહ્ય પ્રદેશમાં રાખી શકે એ બતાવવાનો બીજો ઉદેશ જણાય છે. દષ્ટિદેવીની આવી કલ્પના કરવામાં ગ્રંથકર્તાએ ઘણું ચાતુર્ય બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy