SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ ભેગવી લેવાની ઈચ્છાવાળે છે, 'આ ભવમાં સર્વ પ્રકારની પૂર્ણતા માનનારે છે; એ પહેલેકથી તદ્દન વિમુખ છે, પરભવમાં જેવું કાંઈ છે જ નહિ તેમ માનનારે છે અને આ ભવમાં મળે તેટલે આનંદ કરવાના વિચારવાળો છે; ધર્મ અને મોક્ષરૂપ પુરૂષાર્થ તરફ તેને ઘણે દ્વેષ છે તેની વાત પણ તેને ગમતી નથી, એ અર્થ (ધન એકઠું કરવું) અને કામ (ઇંદ્રિયના વિષે ભોગવવા) રૂપ પુરૂષાર્થે ઉપર તલ્લીન છે, એ શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શને ઘણે રસીઓ છે, અત્યંત લુપી છે, મહા આસક્ત છે, તેમજ તપ દયા દાન શીળ (શુભ વર્તન) અને બ્રહ્મચર્ય વિગેરે ગુણેનું દૂષણ બોલનાર દ્વેષી છે. આ પ્રમાણે એ રાજામાં ગુણ (?) હોવાથી તે આપણને ઘણો વહાલું લાગે તેવું છે અને એનું આપણું ઉપર હેત પણ ઘણું છે; વળી એ આપણું સર્વ હુકમને બરાબર ઉઠાવનાર છે અને વધારામાં વળી એ આપણા મહા દુશ્મન ચારિત્રધર્મ રાજાના લશ્કરને મેટી દ્વેષી લે છે, મહા ખારીલે છે, અને તેને પક્કો દુશ્મન છે. વળી તે અધમને હજુ સુધી પિતાના રાજ્યની કાંઈ ખબર જ નથી, પિતાનું બળ કેવું અને કેટલું છે તે પણ તે જાણતો નથી, પોતાનું ખરું સ્વરૂપ શું છે તેની તેને ખબર પણ નથી અને આપણે ખરેખરા ચારને આકાર ધારણ કરનારા છીએ તે પણ એ જાણતો નથી. આ પ્રમાણે હેવાથી અધમનું મંત્ર વિચારણા. રાજ્ય છે તે વાસ્તવીક રીતે આપણું પિતાનું જ રાજ્ય પ્રવેશ ન આપવો. છે એમ મને તે લાગે છે અને હે પ્રભુ! એ બાબ તમાં મને તે જરા પણ શંકા જેવું લાગતું નથી. છતાં મને એક બાબત આપણે સર્વેએ ખાસ કરવા જેવી હોય તેમ લાગે છે અને તે એ છે કે કઈ પણ પ્રકારે એ રાજ્યની અંદર દાખલ ન થાય તેવો આપણે પક્કો બંદેબસ્ત કરો, કારણ કે જે એ એક વાર પિતાના રાજ્યમાં દાખલ થઇ સર્વ બાબત જોઈ જશે તો પછી તે આ પણ ચેષ્ટાઓનું પણ બારિકીથી અવલોકન કરશે અને આપણને જોઈ લઈને બરાબર ઓળખી જશે. એ દુરાત્મા અધમમાં કાંઈક જરા જરા. વીર્ય (શક્તિ) છે, માટે એને તે ગમે તેમ કરીને રાજ્યની બહાર જ રાખવો જોઈએ, એને રાજ્યમાં અંદર દાખલ થવા દેવો સારો નથી. એ રાજ્યમાં દાખલ થઈ આપણને ઓળખી જાય તો કદાચ ભારે પડી જાય. ૧ નિકૃષ્ટ ધર્મ અર્થ કામ મોક્ષથી રહિત હતું, આ અધમ અર્થ અને કામમાં આસક્ત છે. નિકૃષ્ટ પરલોક પરા મુખ હતો, અધમ પણ તે જ છે; પણું એ આ લોકમાં વધારે આસક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy