SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧] ૧. નિકૃષ્ટ રાજ્ય. ૧૫૭૩ આકરો શાક થાય અને આખા સંબંધી વર્ગ હતારા બની જાય તથા દીનતાથી વિકળ થઇ જાય, તેમ નિકૃષ્ટ રાજ્યના હેવાલ સદ્બધ પાસેથી સાંભળીને ચારિત્રધર્મરાજાના આખા વર્ગમાં માટી દિલગિરિ ફેલાઇ ગઇ અને ચારે તરફ શોક વ્યાપી રહ્યો. વળી ચારિત્રરાજ્યના તાબામાં સાકિપુર વિગેરે જે અનેક નગરો અને ગામે હતાં ચારીત્રરાજ પ્રદે- તેમાં પણ સર્વત્ર દિલગિરી છવાઇ ગઇ, એ સર્વ શમાં લિગિરી. લોકો તદ્દન આનંદ વગરના થઇ ગયા, હર્ષ ઉત્સવ વગરના અની ગયા, શાકથી ભરપૂર થઇ ગયા અને તદ્દન દુઃખી થઇ ગયા. નિકૃષ્ટની રાજ્યપ્રાપ્તિના સમાચારે ચારિત્રધર્મરાજના આખા પ્રદેશમાં આવી ખરાબ અસર ઉત્પન્ન કરી. * * અંતરંગ રાજ્યપર માહરાયનું સામ્રાજ્ય. આવી રીતે એક લશ્કરમાં ( મેહરાયના ) ઘણા આનંદ ફેલાઇ રહ્યો અને બીજા લશ્કરમાં ( ચારિત્રધર્મના ) ઘણા શોક ફેલાઇ રહ્યો. આ બન્ને સૈન્યમાં એક જ અનાવે આટલા બધા આંતરો ઉત્પન્ન કર્યો એ હકીકત જોઇને મને ( વિતર્કને ) ઘણી નવાઇ થઇ અને જે નિકૃષ્ટ રાજામાં આવા ગુણા છે તે કયા હશે એ જાણવાની ઘણી જિજ્ઞાસા થઇ. એ કુત્તુળ પૂરૂં પાડવા એ નરેશ્વર( નિકૃષ્ટ )ને જોવા માટે મેં મારા મનમાં નિર્ણય કર્યો. પછી એ રાજા કેવા છે તે જાણવા માટે મેં તેના રાજ્યમાં જઇને જોવાના ઠરાવ કર્યો અને નિકૃષ્ટની રાહ જોઇ હું ત્યાં બેઠો. મેં વિચાર કર્યો કે પોતાનું રાજ્ય લેવા માટે નિકૃષ્ટ અહીં આવશે એટલે હું તેને જોઇ લઇશ, પરંતુ નિકૃષ્ટરાજા પેાતાના રાજ્યમાં પ્રવેશ કરવા સારૂ ત્યાં આવ્યા તે વખતે પેલા મહામાહ વિગેરે ચારાએ તેને રાજ્યમાં દાખલ જ થવા ન દીધા. વળી તેઓએ તેા ઉલટું કામ કર્યું: આખા ભૂમિમંડળને જીતી લઇ પેાતાને વશ કર્યું, ચારિત્રરાજ્યના સૈન્યપર ઘેરો ઘાલી તેના ઉપર વિજય મેળવ્યો અને તેના ઘાણ કાઢી નાખ્યો અને એ નિકૃષ્ટને પેાતાને પણ રાજ્યથી બહાર ધકેલી દઈ મહામાહરાજા અને તેના આખા વર્ગ રાજ્યને પચાવી પડ્યા. આવી રીતે અંતરંગ રાજ્યના ખરા માલીકને બહાર કાઢીને તેના સ્થાનપર મહામાહરાજા બેસીને અને બીજાં અગત્યના સ્થાન પર પોતાના સંબંધીઓને સ્થાપીને માલીક થઇ પડ્યો. * ૧ વિતર્ક અંતરંગ પ્રદેશમાં છે. અંતરંગ રાજ્યની વાત ચાલે છે તે લક્ષ્યમાં રાખવું. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy