SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ચારિત્રરાજનો સબધ સાથે મંત્રઃ વિશુદ્ધ રાજ્ય સાથે રાજાનું વૈર; શુદ્ધ રાજ્યમાં ચિંતા અને ખેદ, મહામહના નગરમાં અને તેમાં આવી રીતે સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો અને ચારે તરફ વધામણીઓ ચાલી તેનું સહજ વર્ણન કર્યું. હવે એ નિકૃષ્ટ રાજા થવાનું છે એવી ઘોષણની અસર ચારિત્રરાજના પ્રદેશમાં કેવા પ્રકારની થઈ તે જણાવું છું. ચારિત્રરાજના રાજ્યમાં જ્યારે નિકૃષ્ટ રાજા થવાનું છે એવી ઉદ્યોષણું જાહેર થઈ ત્યારે એ રાજા વળી કે હશે! કે નિવડશે! તે સંબંધી સ્વાભાવિક રીતે વિચારણું ચાલી. પ્રથમ સદુધમંત્રીએ વિચાર કરીને કહ્યું “દેવ! દુરાત્મા નિકષ્ટ એક સરખી રીતે અત્યંત ખરાબ રૂપવાળો છે તે તે આપના જાણવામાં છે. એ દુરાત્મા પોતાના રાજ્યનું નામ પણ જાણતા નથી, અરે એટલું તો શું પણ એ આપણને સર્વને ઓળખતે પણ નથી, જરાએ ગમેતે પણ નથી અને ઉલટે જાણે આપણે તેના દુશમન હેઈએ તેમ આપણી સાથે વર્તે છે, એને મેહરાય જે આપણે મેટો શત્રુ છે તેના તરફ એટલે બધે પક્ષપાત છે કે એ મેહનાં સાધનને જ બને તેટલાં વધાર્યો જાય છે અને પિતાના ખરા રાજ્યની, દેશની કે લેકેની વાર્તા પણ પૂછત નથી, ખબર પણ લેતો નથી અને સમાચાર પણ જાણતા નથી. આપણે તો અત્યારે બેવડી મુશ્કેલીમાં આવી પડયા છીએ. એક તે મહારાજા બને તેટલે આપણી સામે પડીને આપણને હઠાવી હરાવી રહ્યો છે અને વળી આપણે માથે અત્યારે આ રાજા આપણે સ્વામી થયે છે. ખરેખર દેવ પણ દુર્બળને જ ઘાત કરે છે! આ પ્રમાણે હકીક્ત હોવાથી દેવ (કર્મના)ના દેષથી અત્યારે નિષ્ફનું રાજ્ય થયું છે તેમાં આપણે તે નાશને જ વખત છે! આપણો તે ખરેખર પ્રલયકાળ આવ્યું છે એમ મને લાગે છે! મારા મનમાં આ સંબંધમાં જરા પણ સંશય લાગતો નથી.” ચારિત્રધર્મરાજના મહામંત્રીનાં આવાં વચન સાંભળીને તેની પાસે જે નાના રાજાઓ (ચારિત્રરાજના સંબંધીઓ) ઊભા હતા અને તેમને જે આખો પરિવાર હતો તે સર્વ નિસ્તેજ થઈ ગયા, ઝાંખા થઈ ગયા અને તેઓનાં મોંઢાં ઉતરી ગયાં, તેઓને આનંદ તે વખતથી તદન નાશ થઈ ગયે. જેમ ઘરમાં કેઈ અત્યંત વહાલું પ્રેમી હોય અથવા સગાસંબંધીમાં નજીકનું સંબંધી હોય તે મરણ પામે ત્યારે જેમ અત્યંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy