SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ ] ૧. નિકૃષ્ટ રાજ્ય. ૧૫૭૧ તે સાંભળીને (મોહરાયના) લોકોને પણ ઘણો આનંદ થયો અને તેઓ મેટેથી વધામણી કરવા લાગ્યા, નાચ કરવા લાગ્યા, ગાયન કરવા લાગ્યા અને ઘણું આનંદરસમાં આવી પિતાનો હર્ષ અનેક પ્રકારે બતાવવા લાગ્યા. વળી મુખેથી બોલવા પણ લાગ્યા કે-“અહો કે ! જે રાજાએ અનંત દોલતથી ભરપૂર રાજ્ય પ્રાપ્ત કર્યું છે તે તો તદૃન આપણું હાથમાં છે, આપણું તાબામાં છે, આપણને વશ રહે છે અને પિતાના બીજા માણસને જાણતા પણ નથી; તે ભાઇઓ ! આ તો ઘણી સારી વાત થઈ ! આ નિકૃષ્ટનું રાજ્ય તે આપણને બહુ સુખ કરનાર થયું, તે હવે બંધુઓ ! તમે અત્યંત આનંદથી ખાઓ, પીઓ, ગાઓ અને નાચે.’ એવી રીતે મહામહરાજનાં નગર, ગામ અને ગામડાંઓ જે સર્વ લગભગ ભિલ લેકેની પલ્લીઓ જેવાં હતાં તેમાં ચારે વ્યક્તિગત તરફ વધામણી પસરી, લેકેએ પિતાની દુકાનમાં આ ને દ. મોટી મોટી શેભાઓ કરી, સુંદર ધજાપતાકાઓ ફર કાવી, ઘાતકર્મ નામના ચોરેને મનમાં થયું કે હવે આપણે બરાબર ધણી થઈ બેસશું અને આપણો કેફ ચાલશે એ વિચારથી તેઓ ઘણું ઉલ્લાસમાં આવી ગયા, આપણે એનું બધું હરણ કરી લઈ જઈને ઘરભેગું કરશું એ વિચારથી ઇંદ્રિયોને ઘણો સંતોષ થયો, કષાયેલુંટારાઓને મનમાં થયું કે આપણને હવે ભારે તડાકે પડશે એ વિચારથી તેઓ ઘણું આનંદમાં આવી ગયા, પિતાને ધાડ પાડવાની તક મળશે એ વિચારથી નોકષાયેલુંટારાઓ ઘણું હરખમાં આવી ગયા, દુઃખમાં ડૂબાડી દેશું એ વિચારથી પરીષહ નામના દ્રષ્ટ લશ્કરીઓને હર્ષ થઈ આવ્ય, પિતાને વિકાસ કરવા અને ડંખ મારવાને પ્રસંગ બરાબર મળશે એ વિચારથી ઉપસર્ગરૂપ ભયંકર સર્પો રાજી રાજી થઈ ગયા, મઘાદિ પ્રમાદો પિતાને મશ્કરી ઠેકડી કરવાની સારી તક મળશે એ વિચારથી લહેરમાં આવી ગયા. મહામહરાજા અને તેને આખો પરિવાર સાધારણ રીતે પણ અભિમાનથી અંધ તો રહે જ છે અને બીજા વખતમાં પણ મદમસ્ત રહે છે તો પછી જ્યારે નિકૃષ્ટનું રાજ્ય થાય ત્યારે તો શું શું ન કરે અને પોતાને અવસર મળેલા સમજી શા માટે ન કરે? ૧ નેકષાય-હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા વર્ણન માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૧૫. પૃ. ૮૭ર થી. આ આખા મહારાજાના પરિવારનું વર્ણન અગાઉ આવી ગયું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy