SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ સ્વરૂપ અજ્ઞાન. વિષયાભિલાષ— દેવ ! કર્મપરિણામે એને કેવા બનાવ્યા છે' તે આપ ખરાબર સાંભળે એ તદ્દન કદરૂપો છે, નસીબના લાડકા (કમનસીબ) છે, મહા નિર્દય છે, પરલોકની વાતથી તદ્દન સામે પાટલે બેઠેલા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષને દૂર રાખનારા છે, ગુરૂની નિંદા કરનારા મહાપાપી છે, દેવની ઉપર ખાસ દ્વેષ રાખનારા છે, એનામાં વિશુદ્ધ અધ્યવસાયની ગંધ પણ છે જ નહિ, એ આખી દુનિયાને મોટા ઉદ્વેગ કરાવનાર છે, સાક્ષાત્ ઝેરના અંકુરો છે અને આખા દોષસમૂહનું ઘર છે. તમે જે કોઇ પ્રકારના દોષો કલ્પી શકે એ સર્વ એ નિકૃષ્ટમાં આવીને ઘર કરી રહેલા છે. વળી ગંભીરતા, ઉદારતા, પરાક્રમ, ધીરતા, શક્તિસ્ફુરણા વિગેરે ગુણા નિકૃષ્ટથી નાસીને અત્યંત દૂરને દૂર જ રહે છે, એ અધમથી પણ અધમ છે, પેાતાના આત્માની સર્વ શક્તિઓને શૂન્ય કરીને રહેલા છે—એવા નિર્બળ નાયક હાલ રાજ્યગાદી ઉપર આવેલા છે, તે તે આપણને શું કરનાર છે ? આપ સર્વ એના રાજ્યથી ગભરાટમાં શા માટે પડી ગયા છે? એ તેા બાપડો પોતાને રાજ્ય મળ્યું છે એ વાત પણ જાણુતા નથી, એનામાં સ્વતંત્ર મળ ઘણું મોટું છે એ હકીકતની એને ખબર પણ નથી, એનામાં મેટી દાલત ( સમૃદ્ધિ ) ભરેલી છે એની તેને ખબર પણ નથી અને ખરેખરી રીતે પોતે કોણ છે અને પેાતાનું સ્વરૂપ શું છે તે હકીકત પણ એ બાપડો જાણતા નથી. આપણા ચાર ભાઇ એના રાજ્યને પચાવી પડનાર છીએ અને એના આત્મધનને લુંટનારા છીએ એ વાત પણ એ બિચારો જાણતા નથી અને ઉલટા આપણે જાણે તેના હિતશ્રીએ હોઇએ, જાણે તેના ખાસ સ ગાએ હાઇએ, તેના ખાસ અંધુએ હેાઇએ, તેમ આપણને ગણે છે અને એથી વધીને એ આપણુને પોતાના સ્વામી ગણે છે, ઉપરી ગણે છે, મોટેરા ગણે છે. આ પ્રમાણે હાવાથી દેવ! આપના મનમાં જરા પણ વ્યાકુળતા હોય તેા તે દૂર કરી નાખા, કાઢી નાખા, તજી દો અને આપણા રાજ્યમાં વધામણી ફેલાવા કે આપણા સર્વ માણસા અને લોકો રાજી થાય. ’ ૧૫૭૦ વિષયાભિલાષ મંત્રીશ્વરનાં આવાં વચન સાંભળીને મહામેાહ રાજાને ઘણા આનંદ થયા, સભામાં હાજર થયેલ સર્વ સભ્ય મેાહરાન્ચે જનાને પણ આનંદ થયા અને મહામેાહ રાજાએ ચારે વધામણાં. તરફ એ બાબતની વધામણી ફેલાવવાના વિચાર જણાવ્યો. મંત્રીએ જે વિસ્તારથી હકીકત જણાવી ૧ એટલે એ કર્મના પિરણામે એ કેવા થયેા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy