SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] પુરૂષ કથાનક. ૧૫૬૭ એનો એમ તો છે જ આવે નહિ. છતાં તને વાત સાંભળવાનું મોટું કુતૂહળ થયેલ છે તે આ બધા પુત્રોની વાતને ખ્યાલ આપે તે એક સર્વગ્રાહી હકીકત કહેવાનો ઉપાય છે, તે યુક્તિ કરીને તેને તેના સર્વ પુત્રોની હકીકત કહું.” અપ્રબુદ્ધ“ભગવદ્ ! બહુ કૃપા કરી. તેમ જ કરીને મને એ હકીકત સંભળાવે.” સિદ્ધાન્ત–“એ કર્મપરિણામના પુત્રો છ પ્રકારના છેઃ (૧) નિકૃષ્ટ, (૨) અધમ, (૩) વિમધ્યમ, (૪) મધ્યમ, (૫) ઉત્તમ અને (૬) વરિષ્ઠ. હું એક એવી પેજના કરવા ધારું છું કે મહારાજા કર્મપરિણામની પાસે ખાસ માગણી કરીને તે દરેક પુત્રને એક એક વર્ષ રાજ્ય અપાવવું, મારી તે માગણી સ્વીકારી કર્મપરિણમ રાજા તેમને એક એક વર્ષ રાજ્ય આપશે. પછી કર્મપરિણામના છએ પુત્ર રાજ્ય કેવી રીતે ભગવે છે તેનું બારિક અવકન કરવા માટે તારે તારે ખાસ અંતરંગ નોકર 'વિતર્ક નામનો છે તેને મોકલો. એ છએ પુત્રો કેવી રીતે રાજ્ય કરે છે તે જોઈને તેને વિગતવાર હકીકત કહેશે એટલે કર્મપરિ મનું વિશેષ રાજ્ય કેવી રીતે અનેકરૂપી છે એ સર્વ હકીકત તને બરાબર સમજાઈ જશે.” અપ્રબુદ્ધ–“જેવી ભગવાનની આજ્ઞા ! ” સિદ્ધાન્તઆચાર્યો ઉપર જણાવી તેવી સર્વ જિના કરી, એ પુત્રોને કર્મપરિણામ રાજા એક એક વર્ષ માટે રાજ્ય આપે તેવી ગોઠવણ થઈ અને અપ્રબુદ્ધ શિષ્ય પિતાનાં 'વિતર્ક નામના નોકરને તેઓનું રાજ્ય કેમ ચાલે છે તે બારિકીથી જોવા માટે મોકલી આપે. ૧ વિતર્ક પૃથક્કરણ કરીને બુટ્ટા ઉઠાવનાર સમજનાર અંદરની બુદ્ધિ શક્તિ. એ અવલોકન કરીને રાજ્યપ્રવૃત્તિ જોશે અને જોયેલ બાબતનો રિપોર્ટ પિતાના શેઠ અપ્રબુદ્ધને કરશે. વિતર્ક વગર સર્વ બાબત જોયા છતાં સમજતી નથી, કારણ આપણે સર્વ જોઈએ છીએ પણ વિચાર કરતા નથી. વિતર્કની મદદ લેવાની જરૂર તેથી સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy