SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ]. પપુરૂષ કથાનક, ૧૫૬૫ જાય છે ત્યારે તે મહામોહ સાથે વિગ્રહ માંડે છે, લડવા માટે ઊંચે નીચે થાય છે, પિતાના બળને જગાડે છે અને પિતાની દોલતમાં વધારો કરે છે. જ્યારે એ સંસારીજીવ લડાઈ ઉપર ચઢે છે ત્યારે ઘણી વાર તે મહામહ ઉપર વિજય મેળવે છે અને ઘણી વાર મહામહ તેના ઉપર વિજય મેળવે છે. એટલે એ મહામહ ઉપર વિજય મેળવે છે તેટલા પૂરતું તેને સુખ થાય છે, જેટલા પૂરતો એના ઉપર મહામહને વિજય થાય છે તેટલા પૂરતું તેને દુઃખ થાય છે. બાકી જ્યારે લડવાના અભ્યાસથી ધીમે ધીમે તે ન કલ્પી સુખ દુઃખ કા- શકાય તેવું અને ન તુલના થઇ શકે તેવું વીર્ય જે રણ સ્પષ્ટ દર્શન. તેની અંદર ભરેલું છે તેને બરાબર વ્યક્ત કરે છે ત્યારે મહામહ વિગેરે આખા શત્રુવર્ગને મૂળથી ઉખેડી નાખે છે, નિષ્કટક રાજ્ય પ્રાપ્ત કરે છે અને પિતાના મહારાજ્યને પ્રાપ્ત કરીને પછી ચિત્તવૃત્તિને છોડીને નિરંતરના આનંદમાં સુખે રહે છે, સ્વાભાવિક મોજ ભોગવે છે અને લહેર કરે છે. આ પ્રમાણે વાત હેવાથી તે રાજ્ય તેને સુખ અને દુ:ખ બંનેનું કારણ થાય છે. જે રાજ્યની બરાબર પાલન કરવામાં આવે છે તે સંસારીજીવના સુખ માટે થાય છે અને જે તેની બરાબર પાલન કરવામાં ન આવે તે તે દુઃખ માટે થાય છે. સામાન્ય અંતરંગ રાજ્ય જે સંસારીજીવના સુખદુઃખનું કારણ છે તેની સામગ્રી-વેજના આવા પ્રકારની છે એ હકીકત તને કહી સંભળાવી. ” અપ્રબુદ્ધ–“ભગવદ્ ! ત્યારે અત્યારે સંસારીજીવનું સુરાજ્ય વર્તે છે કે કુરાજ્ય વર્તિ છે?” સિદ્ધાન્ત–“ભદ્ર! અત્યારે તે સંસારીજીવનું કુરાજ્ય વર્તે છે, એ બાપ પોતાનું આવું મોટું રાજ્ય છે તે હકીકત પણ જાણતો નથી, પોતાના બળની તેને જરા પણ ખબર નથી, પોતાની પાસે ગુપ્ત પણ આવડી મોટી મિલ્કત, દલિત અને સમૃદ્ધિ છે તે હકીકત તેના લક્ષ્યમાં પણ નથી, અરે એને પિતાના સ્વરૂપની પણ ખબર નથી, એ બાપડો બહિરંગ પ્રદેશમાં જ હાલ તે રખડ્યા કરે છે, દુઃખના દરિયામાં ડૂબેલું રહે છે અને મિથુન અને સાગર નામના બે મિત્રો તેને બરાબર ભમાવે છે. એ બાપડાનું ચારિત્રધર્મરાજ નીચેનું મહા ૧ આ સંસારીછવ તે આપણે કથાનાયક ધનશેખર સમજ (સંબંધ પરથી.) ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy