SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ]. પપુરૂષ કથાનક. ૧૫૬૩ મહામહને માથે રાજ્યભાર, કર્મપરિણામની મધ્યસ્થતા, મહાહનું પ્રબળ સામ્રાજ્ય. પ્રથમ તો એ લોકેએ ભિલની પલ્લી જેવાં રાજસચિત્ત તામસચિત્ત રોકચિત્ત વિગેરે નગર વસાવી રાખ્યાં છે, વળી એ નગરોની અંદર રાજા તરીકે એ લોકોએ મહામહ રાજાની સ્થાપના કરી છે, એ રાજાને આખું ચતુરંગ લશ્કર (ચોરોનું) સોંપવામાં આવ્યું છે, વળી સર્વ પ્રકારની રાજ્યનીતિની પિતાના ઘોરણ પ્રમાણે વ્યવસ્થા કરી છે, આખા રાજ્યને બોજો મહારાજા ઉપર મૂકવામાં આવ્યો છે અને કર્મપરિણામ મહારાજા પોતે તે મહારાણ કાળપરિકૃતિ સાથે મનુજગતિ નગરીમાં નાટક થાય છે તે બેઠા બેઠા જોયા કરે છે. એ નાટક જે રાજા રાણી (કર્મપરિણામ અને કાળપરિણતિ ) જોઈ રહ્યા છે તેનું નામ “સંસાર ” નાટક છે અને તે દરરેજ થયા જ કરે છે. નાટક જોવાના શોખીન એ રાજા રાણુને એ નાટક જેવું બહુ ગમે છે. હવે કર્મપરિણામ રાજા પેલા સંસારીજીમહારાજાની શક્તિ કેટલી છે તે સારી રીતે જાણે છે, સામેના હરીફ ચારિત્રધર્મરાજનું બળ કેટલું જબરું છે તે પણ સમજે છે, એ ચારિત્રરાજના મહામંત્રી સદબોધની મંત્રશક્તિ કેટલી સુંદર અને તંદુરસ્ત છે તે જાણે છે, સમ્યગ્દર્શન સેનાપતિને લકર ઉપર કાબુ કેવો મજબૂત છે તે સારી રીતે સમજી રહેલ છે, સંતેષ તંત્રપાળને વ્યવસાય કેટલો સારે છે તે રીતે જોઈ રહેલ છે, શુભાશય વિગેરે ચારિત્રરાજના અનેક સેનાનીએમાં લડવાને ઉત્સાહ કે પ્રબળ છે તે બહુ સારી રીતે જાણે છે અને તેથી સંસારીજીવની તરફ તે તદ્દન બેદરકાર રહેતો નથી, માત્ર ભવિષ્ય જોયા કરે છે, ચારિત્રરાજ વિગેરે તરફ પણ પ્રેમનજરથી જુએ છે, તેના તરફ પણ પિતાને એકીભાવ બતાવે છે, પ્રેમ વધારે છે અને તેમને માટે પણ સારાં સારાં પ્રજને જ આપે છે. આ પ્રમાણે હકીકત હોવાથી ચારિત્રધર્મ રાજા અને તેનું આખું મંડળ પણ એ કર્મપરિણામ રાજાને મધ્યસ્થ ગણે છે, તટસ્થ ભાવે જુએ ૧ રાજસચિત્ત નગરનું વર્ણન જુઓ ક. ૪. પ્ર. ૮. તામસચિત્તનું વર્ણન જાઓ સદર પ્રકરણ પ્ર. ૭૯૪ થી. અને રૌદ્રચિત્તના વર્ણન માટે જુઓ ૪, ૩, પ્ર. ૨૧. સિદ્ધાન્ત અંતરંગ સામાન્ય રાજ્યનું વર્ણન કરી રહ્યા છે તે ચાલુ છે. ૨ નાટકનું વર્ણન , ૨. પ્ર. ૨ માં આવે છે તે લઉથમાં રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy