SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ વિમળમાનસ, શુભ્રચિત્ત વિગેરે નાનાં મેટાં નગરો આવી રહેલાં છે અને તે નગરોની સાથે અનેક ગામડાંઓ અને ખાણા જોડાયલાં છે. C : " નામના એ મહારાજ્યની અંદર ‘ઘાતીકમૅ’ નામના અનેક ધાડ પાડનારા છે, ઇંદ્રિય ' નામના ચારા છે, એમાં · કષાય ૧ રૂપ ફાંસીઆએ ફર્યાં કરે છે, નાકષાય રૂપ લુંટારાએ તેમાં વિચરે છે, એમાં પરીષહ,ર નામના ઉપદ્રવ કરનારા ચારે તરફ હેરાનગતિ કરવા ફર્યાં કરે છે, એમાં • ઉપસર્ગ' નામના મહા ભયંકર સૌં વસે છે અને ૮ પ્રમાદ લંપટા તેમાં વિલાસ કરી રહ્યા છે. એ બધાએના એ નાયક (ઉપરીઆ) છે: એકનું નામ કર્મપરિણામ છે અને બીજાનું નામ મહામાહુ છે. એ બન્ને નાયકા ઘણી રાજઋદ્ધિવાળા છે, લડવાની હોંસવાળા છે, ઘણા અભિમાની છે, ચારે પ્રકારના પોતાના સ્વતંત્ર લશ્કરવાળા છે અને પેાતાના તાબામાં કરાડી લરકરીને રાખવાવાળા છે. એ બન્ને વળી એટલી બધી ખુમારીવાળા છે કે તેઓ મનમાં પેાતાને જ ખરેખરા રાજા નાયક અને હુકમ કરનાર માને છે, તે અંતઃકરણથી માને છે કે એ સંસારીજીવ કાણુ થાય છે ? અને પેલા ચારિત્રધર્મે રાજાની મગદૂર શી ? આ ચિત્તવૃત્તિ મહાઅટવી તે જાણે તેની પાતાની જ હાય અને આ રાજ્ય પણ પોતાના આપનું જ ( પેાતાનું જ ) હોય એમ તે તેા ધારી બેઠા છે. તેઓ વળી માને છે કે કોઇની તાકાત નથી કે રાજ્યના ભાગવટામાં કોઇ પણ તેની સામે થવાની હિંમત કરે. આ પ્રમાણે વિચાર કરીને તેઓએ ( સર્વ ચાર અને લુચ્ચા લોકોએ ) મળીને કર્મપરિણામને પોતાના રાજા તરીકે સ્થાપન કર્યાં છે. તે વળી રાજાની સ્થાપના કરીને બેસી રહ્યા નથી, તેઓએ પાતાનું કામ ઘણું વધારી દીધું છે. Jain Education International રાજ્યમાં ચારી અને તેના નાયકા ૧ ક્રોધ, માન, માયા, લેાભ કષાય છે અને તેના કારણભૂત હાસ્ય રતિ અતિ શાક ભય દુર્ગંછા અને ત્રણ વેદ નાક્ક્ષાય કહેવાય છે. ૨ પરીષહઃ સ્વપરકૃત પીડાએ અને સહન કરવાના સ્થાને, એ ૨૨ જે એના વર્ણન માટે જુએ નવતત્ત્વ ગાથા ૨૭-૨૮મી ). ૩ ઉપસર્ગ-પીડાએ–દેવકૃત, મનુષ્યકૃત, તીર્થંચકૃત અને સ્વકૃત. પરીષહ અને ઉપસર્ગમાં તફાવત એ છે કે ઉપસર્ગમાં પ્રાણાન્ત કષ્ટ થાય છે, ત્યાંસુધીની સ્થિતિ આવી જાય છે. પરીષહમાં અનુકૂળ પીડા-ઉપાધિ પણ હોય છે, જ્યારે ઉપસર્ગમાં તા સર્વ વાત પ્રતિકૂળ જ હાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy