SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦] ષપુરૂષ કથાનક ૧૫૬૧ મુખવાળા ચારિત્રધર્મ નામે ત્યાં પ્રતિનાયક પણ છે. આ પ્રતિનાયકનો સમ્યગદર્શન નામનો સેનાપતિ છે અને સદબોધ નામનો મંત્રી છે. વળી એ પ્રતિનાયક ચારિત્રધર્મ રાજને “યતિધર્મ અને ગૃહિધર્મ નામના બે છોકરાઓ છે, સંતોષ નામને તેનો તંત્રપાળ (પ્રધાન ) છે અને શુભાશય વિગેરે ઘણું મેટા લડવૈયાઓ છે. સંસારીજીવે પોતાના સુંદર રાજ્યમાં આવું ચતુરંગ લશ્કર પ્રગટ કરેલું છે તે મોટા લશ્કરનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. કેઈ તેનું પૂર્ણપણે વર્ણન કરી શકે તેમ છે જ નહિ ! એ લશ્કર ઘણું સુંદર છે, અને ગુણસમૂહોથી ભરપૂર છે. રાજા પોતે જ્યારે તદ્દન વિમળ (શુભ્ર–મેલ વગરનો) થાય ત્યારે જ તેને તે જોઈ જાણું શકે છે. (ભૂમિ)એ મેટા રાજ્યની ભૂમિકા એક મહા અટવીમાં સ્થાપન કરવામાં આવી છે જે ચિત્તવૃત્તિના નામથી ઓળખાય છે અને સર્વને આધાર તેના ઉપર છે. (દેશ)એ ચિત્તવૃત્તિ અટવીમાં સાત્વિકમાનસપુર, જૈનપુર, ૧ ચારિત્રધર્મ રાજા સંબંધી વર્ણન પ્ર. ૪. ક. ૩૪ માં વિસ્તારથી આવી ગયું. દાન, શીળ, તપ અને ભાવરૂપ એનાં ચાર મુખ છે તે પણ ત્યાં વર્ણવ્યાં છે. ૨ પ્રતિનાયકઃ બીજે નાયક. કેટલીક વાર તે મુખ્ય નાચકન સમોવડીઓ પણ હોય છે જેમ રામાયણમાં “રાવણ” અથવા માધના કાવ્યમાં “શિશુપાળ '. ઉત્તર નાયક તરીકે એ ઘણું ખરું કામ કરે છે. ૩ સમ્યગદર્શન સેનાપતિ માટે વિશેષ સંપૂર્ણ હકીકત માટે જુઓ પ્ર. ૪. પ્ર, ૩૬. ૪ સ ધ મંત્રી સંબંધી વિસ્તારથી વર્ણન સદર સ્થાને મૃ. ૧૯૦ માં આવી ગયું તે જુએ. સર્વ ચેથા પ્રસ્તાવના પાત્રો છે તેથી અત્ર તેનું વધારે વર્ણન કર્યું નથી. ૫ યતિધર્મનું વિસ્તારથી વર્ણન. પ્ર. ૪. ક. ૩૫ માં છે. ગૃહિધર્મ માટે તેજ પ્રકરણમાં વર્ણન છે. અને સંતોષ માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૩૬. પૂ. ૧૦૯૪-૯૫ ૬ ચિત્તવૃત્તિ-મહાઇટવીનું વર્ણન, પ્ર. ૪. પ્ર. ૯ માં આવ્યું છે તે જુઓ. ૭ સાત્વિક માનસપુરનું વર્ણન ક. ૪. પ્ર. ૩૩ માં આવ્યું છે. જૈનપુરનું વર્ણન તેજ પ્રકરણમાં પૂ. ૧૦૪૯ થી શરૂ થાય છે, વિમળમાનસ નગરના વર્ણન માટે જુઓ ક. ૫. પ્ર. ૨૧ અને શુભચિત્ત નગરના વર્ણન માટે જુઓ ચાલુ પ્રસ્તાવ, પ્રકરણ ૯ મું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy