SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ વિનયી રાજાના આવા સીધા પણ મુદ્દાસરનેા સવાલ સાંભળીને ઉત્તમસૂરિએ જવામ આપ્યા “ રાજતૂ ! અંતરંગમાં ઉપાય દર્શન. રહેલ કર્મપરિણામ મહારાજા જેણે પેાતાના પ્રતાપથી આખા ભુવનને વશ રાખ્યું છે તે તારા જેવા સમજી માણસાને તે જાણીતા છે. અતિ બળવાન એ મહારાજા પોતાની કાળપરિણતિ મહારાણી સાથે ભવિષ્યમાં કાઇ પણ વખતે જો તારા મિત્ર ધનશેખર ઉપર પ્રસન્ન થઇ જાય તેા પછી તે પેાતાના હાથનીચેના શુભ્રચિત્ત નગરના રાજા સદાશયને કહીને તેની પાસે તેની અન્ને દીકરી તારા મિત્રને અપાવી શકે. ભવિષ્યમાં કોઇ કાળે તેમ બની આવશે. મતલબ કર્મપરિણામ મહારાજાની જ્યારે પ્રસન્નતા થશે ત્યારે ભવિષ્યમાં તારા મિત્રને એ બન્ને કન્યાએ મળશે અને જ્યારે એમ અનશે ત્યારે તારા તે મિત્ર પરમ સુખ પ્રાપ્ત કરશે, તેની મજામાં ઘણા વધારા થઇ જશે અને તે ગુણુનું ભાજન થશે. રાજન્ ! એ કન્યા પ્રાપ્ત કરવાના બીજો ઉપાય નથી, માટે હવે તું તે સંબંધી આકુળતા છેડી દે. ” ૧૫૫૬ ધનશેખર સ્વરૂપે અને સંસર્ગ. એ પ્રકારના લોકો અને તેમના ઢાષા, વિશિષ્ટ કથા કહેવાની પ્રસ્તાવપ્રાપ્તિ. સૂચક પ્રશ્ન. મુનિ મહારાજને આવા જવાબ સાંભળીને હરિકુમારને મારે માટે ચિંતા દૂર થઇ. ત્યાર પછી વળી તેણે એક ઘણા જ અર્થસૂચક સવાલ મુનિરાજને પૂછ્યો “ મહારાજ ! આપે હમણા જણાવ્યું કે એ ધનશેખરે એવું ભયંકર કર્મ કર્યું અને પાપી આચરણ ચલાવ્યું તેનું કારણ તેના પેલા પાપી મિત્રોની પ્રેરણા હતી, બાકી એ ધનશેખર સ્વરૂપે તે ઘણા સારા છે, ભદ્રક છે–તા મારા મનમાં એક એવા સવાલ થાય છે કે સાહેબ ! વળી પ્રાણી જાતે નિર્મળ હોય છતાં પારકાના દોષોથી પણ દુષ્ટ થાય ખરા ? ” Jain Education International સૂરિમહારાજે જવાબ આપતાં જણાવ્યું કે “ મહારાજ ! જાતે નિર્મળ પ્રાણી પારકા દાષાથી પણ દુષ્ટ થાય છે. તેનું ઉત્તરમાં કથા. કારણ સાંભળ.લાક એ પ્રકારના છેઃ એક અંતરંગ અને ખીજો અહિરંગ ( એક અંદરના અને બીજે મહારના ) અહિરંગ લોકના દાષા પ્રાણીને લાગે અથવા ન પણ લાગે, બાકી અંતરંગ લાકના દાષા તા જરૂર લાગે જ છે. હવે એ અંતરંગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy