SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] ઉત્તમ સૂરિ ૧૫:૫ નામથી ઓળખાય છે તેની તે ખરેખરી મેાટી દુશ્મન છે અને તેને સંપૂર્ણ નાશ કરનારી છે. એ બ્રહ્મરતિને અને મૈથુનને સ્વભાવથી જ દુરમનાઇ છે, આથી બ્રહ્મરતિને અને તેને જરા પણ સહવાસ દાતા નથી. સર્વ ગુણાધાર યોગીવંદ્ય રાજતનયા આવી રીતે સતત આનંદકેલિમાં રમણ કરતી જોવામાં આવે છે. “ અને રાજન્ ! એ બન્નેમાં બીજી મુક્તતા નામની દીકરી છે તે પણ સર્વ ગુણાનું મંદિર છે અને સર્વ દાખેાનું એકદમ શોષણ કરાવી નાખે તેવી હોવાથી સ્વાભાવિક રીતે એને ધનશેખરના મહા પાપી ઇષ્ટ મિત્ર સાગરની સાથે મેાટા વાંધા છે અને બન્નેને જરા પણ બનાવ થા નથી, બન્નેને હમેશા ઝગડો જ હોય છે. પરિણામ એનું એ થાય છે કે જ્યાં એ શુદ્ધધર્મના પૂર્ણ અવયવવાળી મુક્તતા કન્યાને તે પાપાત્મા સાગર જુએ છે કે એ ભાઇશ્રી દૂરથી જ નાસી જાય છે. મુક્તતા. લમાનંદ. “ આ પ્રમાણે હકીકત હોવાથી જ્યારે એ બન્ને કન્યા એ તારા ધનશેખરમિત્રને મળશે ત્યારે એને પેલા બન્ને પાપી મિત્રોથી છૂટકા થશે એમાં જરા પણ શંકા જેવું નથી. પછી જ્યારે એ કન્યાએ સાથે એના લગ્ન થશે ત્યારે અત્યંત આનંદપૂર્વક તેમની સાથે એ ધનશેખર ક્રીડા કરશે, સુખ ભગવશે અને લહેર ઉડાવશે-એ વખતે તે અનંત આનંદ ભાગવવાને ભાગ્યશાળી થશે. ” હરિરાજાએ આ પ્રમાણે હકીકત સાંભળી ત્યારે કોઇ કાળે પણ ધનશેખર આનંદનું ભાજન થશે એ હકીકત જાણી પ્રાપ્તિ ઉપાય. તેને આનંદ થયા, પણ તે કન્યા કેવી રીતે મળશે એ હકીકત તેના લક્ષ્યમાં આવી નહિ. જાતે ખરેખર સજ્જન હાવાથી તેના મનમાં એમ થયું કે ધનશેખર મળી જાય તે તેને એ બન્ને કન્યા પરણાવી દઉં, પણ એ કન્યા કેવી રીતે મળે તેની પેાતાને ખબર નહોતી એટલે વળી હાથ ખેડી મસ્તક નમાવી અત્યંત ભાવપૂર્વક નમસ્કાર કરતાં મુનિ મહારાજને તેણે પૂછ્યું “ મહારાજ! આપે અને કન્યાઓની વાત તેા ઘણી સારી કરી, પણ ગુણસમૂહથી ભરપૂર અને પાપી મિત્રોની સાથે સર્વદા વિયાગ કરાવનાર એ બન્ને કન્યાએ કેવી રીતે ધનશેખર મેળવી શકે? તે પણ આપ કૃપા કરીને જણાવે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy