SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૫૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ દુઃખમાં આવી પડ્યો ! ' એવા ઉદ્ગાર તેના મુખમાંથી નીકળી પડ્યો. સુંદર બુદ્ધિવાળા અને કરૂણાયુક્ત ચિત્તવાળા હરિકુમારે ત્યાર પછી મુનિરાજને પ્રેમપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું “ મહારાજ! ત્યારે એ મારે મિત્ર ધનશેખર ક્યારે એ બન્ને પાપી મિત્રોથી છૂટા પડશે ? અને એમ થઇને એ તદ્દન સુખી ક્યારે થશે તે આપ મને કહેા. ’ એ કન્યાએ. હરિરાજના સવાલ સહેતુક હતા અને તદ્દન સ્પષ્ટ હતેા. ઉત્તમસૂરિએ તુરત જ મધુર વાણીએ જવાબ આપ્યો કે “ રાજન્ ! તારા સવાલના જવાબ હું કહું છું તે તું જરા વિશાળ બુદ્ધિથી સમજી લેજે. એક શુભચિત્ત નામનું મોટું નગર છે, એ નગરમાં ત્રણ ભુવનને આનંદ આપનાર સદાશય નામના રાજા છે. એ રાજાને લોકોમાં બહુ સારી રીતે પ્રસિદ્ધિ પામેલી વરેણ્યતા નામની મહારાણી છે. એ વરેણ્યતા રાણીથી રાજાને બે દીકરી થયેલી છે. એકનું નામ બ્રહ્મરતિ છે અને બીજીનું નામ મુક્તતા છે. એ બન્ને દીકરીએ અત્યંત સુંદર, રૂપાળી, અનુપમ લાચનવાળી અને ગુણના ભંડાર છે, તે બન્ને એટલી સારી છે કે તેના ગુણનું સંપૂર્ણ વર્ણન કરવાને કોઇ શક્તિમાન થઇ શકે નહિ. બ્રહ્મરતિ. “ હે રાજનૢ ! એ બન્નેમાં જે પ્રથમ દીકરી બ્રહ્મરતિ નામની છે તે એટલી પ્રતાપી છે કે તે પવિત્ર સાધ્વી જે કોઇ પ્રાણીની સામું આનંદ નજરથી જુએ છે તે પ્રાણી પણ ઘણા પવિત્ર ગણાય છે અને લોકો તેને પવિત્ર કહીને બેલાવે છે. એ બ્રહ્મરતિ સ્થૂળ આનંદથી દૂર રહેનારી છે, સર્વે પ્રકારના ગુણના આધાર છે અને મેટામેટા યાગીઓ પણ એને નમસ્કાર કરે છે અને એના તરફ હૃદયપૂર્વક પૂર્ણ પૂજ્યબુદ્ધિએ અને આદરની નજરે જુએ છે. વળી એ રાજતનયા અનંતવીર્ય ( શક્તિ )ને આપનારી છે અને દુનિયામાં તેની તેવા પ્રકારની પ્રસિદ્ધિ છે. પેલા ધનશેખરના જે મિત્ર થઇને અત્યારે રહેલા છે અને દુનિયામાં મૈથુનના ૧ શુભ્રચિત્ત એટલે વિશુદ્ધ મન. તેમાં સુંદર આશયા થાય તેને રાજાનું નામ આપ્યું અને તેમાં શુદ્ધપણાને રાજાની રાણી બનાવી. બ્રહ્મચર્યમાં પ્રેમ તે તેની પ્રથમ દીકરી અને લાભને ત્યાગ તે બીજી દીકરી. હકીકત સ્પષ્ટ છે. આની સાથે સરખાવેા ત્રીજા પ્રસ્તાવમાં ચિત્તસૌંદર્ય નગરની યાજના ( પ્ર. ૩. પ્ર. ૨) ચેાથામાં શુભ્રમાનસ નગર (૪, ૪. પ્ર. ૩૯) અને પાંચમામાં વિશદમાનસ નગર (પ્ર. ૫. પ્ર. ૨૧ ) આંતર યેાજના એક સરખી છે અને આ નગરી લગભગ સરખા છે. આશયફેરે નામ માત્ર ફરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy