SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] ઉત્તમ સૂરિ. ૧૫૫૩ તેણે દરિયામાં નાંખી દીધે? તેનો જવાબ સાંભળ --એ ધનશેખરને બે અંતરંગ મિત્ર છે તેઓનાં નામ અનુક્રમે સાગર અને મૈથુન છે. તે બન્નેનો આ સઘળે વાંક છે, એ બાપડાનો પિતાને એમાં કાંઈ પણુ દોષ નથી, વાંક નથી, ગુન્હો નથી. એ ધનશેખર પોતે જાતે તે ‘સારે છે, ભલે છે અને સુંદર છે, પરંતુ એના પિલા પાપી મિત્રો એને તદ્દન ઉલટાવી નાખે છે, ખરાબ કરે છે અને તેમની અસર એ ધનશેખરપર ઘણી થાય છે. પેલા લુચ્ચા મૈથુનમિત્રે એનામાં તારી પત્ની મયૂરમંજરી સાથે ભોગ ભેગવવાની બુદ્ધિ ઉત્પન્ન કરી અને સાગરમિત્રે તારું આખું રતથી ભરેલું વહાણ પચાવી લેવાની મતિ ઉત્પન્ન કરી. આવી રીતે એ બન્ને મિત્રોએ એના મનમાં ખોટી બુદ્ધિ ઉત્પન્ન કરી તેને લઈને ધનશેખરે તને દરિયામાં પાડી નાખ્યો. તેના આવા અતિ અધમ અને મિત્રનાં પ્રેરેલાં કૃત્યથી સમુદ્રને અધિપતિ દેવ તેના ઉપર ઘણે ગુસ્સે થયો. તેણે તારું રક્ષણ કર્યું અને ધનશેખરને સમુદ્રને તળીએ ડુબાવી દીધો. એના નસીબે એ મરી ન ગયો અને આખરે તરીને ઉપર આવ્યો. ત્યાર પછી પેલા બન્ને મિત્રો (સાગર અને મૈથુન) એને અનેક દેશમાં રખડાવે છે, અનેક પ્રકારની હેરાનગતિઓ કરે છે અને ત્રાસ આપે છે.” પાપમિત્રોના વિયેગનો ઉપાય. રાજપ્રશ્ન અને સૂરિ પ્રત્યુત્તર, બ્રહ્મરતિ અને મુક્તતા કન્યાઓ, લગ્નસંબંધથી પાપમિત્રોપર જ્ય. ચાર જ્ઞાનથી યુક્ત મહાત્મા મુનિ ઉત્તમસૂરિએ આ પ્રમાણે હકીકત જણાવી ત્યારે હરિરાજાના મનમાં મારા વિશાળતા. (ધનશેખરના) દુષ્ટ ચરિત્ર સંબંધી ખુલાસો થયો અને એને મુનિમહારાજના અપૂર્વ જ્ઞાન માટે મોટું માન થયું. પિતે શુદ્ધ અને વિશાળ હૃદયવાળો હોવાથી એને મારા દુષ્ટ ચરિત્ર સંબંધી ખ્યાલ પણ ન આવ્યું પણ મને કલેશ થયે તેને લઈને ઉલટી દયા આવી અને “અરેરે ! બાપડો ઘનશેખર તે મોટા ૧ આ સંબંધમાં હરિરાજા ફરીવાર સવાલ પૂછશે ત્યારે વધારે ખુલાસો થશે. જુઓ પૃ. ૧૫૫૬. ૨ ચેથા મનઃ૫ર્ચવજ્ઞાનથી સામાના મનના વિચારે જાણી શકાય છે. જ્યારે પાંચમું કૈવલ્યજ્ઞાન થાય ત્યારે તો સર્વ ભાવો જાણી શકાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy