SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫પર ઉપમિતિ ભવપ્રપચા કથા. [ પ્રસ્તાવ ૬ બહાર મનહર બગિચામાં ઉતર્યા હતા. હરિકમારને એ મહાત્મા આચાર્યના આગમન સમાચાર મળતાં ઘણો આનંદ થયો અને મોટા આડંબરથી તેમને વંદન કરવા પિતે ચાલી નીકળ્યો. આચાર્યશ્રીને વિધિપૂર્વક વંદન કરી સર્વ સાધુઓને નમી સુખશાતા પૂછી હરિરાજા શુદ્ધ જમીન પર બેઠે અને તેની સાથે તેનો આખે પરિવાર પણ મહાત્માશ્રીની સુંદર વાણી સાંભળવા ઉત્સુક થઈ જમીન પર બેઠે. આચાર્ય મહારાજે સર્વને યેગ્ય, સમજી શકાય તેવી અમૃતના રસ જેવી સુંદર દેશના આપી જે સાંભળી સર્વ પ્રાણીઓને ઘણે આનંદ થયે. મહારાજા હરિ નરેન્દ્ર સદરહુ દેશના સાંભળીને પિતાના મનમાં બહુ જ આનંદ પામે અને તેનું ચિત્ત ઘણું જ રંજન સહજ જિજ્ઞાસા. થઈ ગયું. તેને જણાયું કે સૂરિ મહારાજનું જ્ઞાન સૂક્ષ્મ પદાર્થોને પણ સારી રીતે દર્શાવનારું છે, 'વ્યવધાનવાળા પદાર્થો પણ તેમને સ્પષ્ટ છે, ભૂતકાળમાં બની ગયેલા અને ભવિષ્યમાં બનવાના ભાવ પણ તેમના જ્ઞાનનો વિષય છે–રાજાની આ પ્રમાણેની ખાત્રી થતાં તેણે વિચાર્યું કે ધનશેખર પિતાને ખાસ અંતરંગ મિત્ર હોવા છતાં શાં કારણે એણે પિતાને દરિયામાં નાંખી દીધો? ધનશેખર અને પિતે તે અગાઉ ખાસ ઈષ્ટ મિત્ર હતા છતાં એક ક્ષણમાં તેણે એવું કામ કેમ કર્યું? અને પેલે દેવ કોણ હતા ? એ ક્યાંથી આવ્યો? અને તેને શા માટે ઉછાળીને તેણે સમુદ્રમાં અફાળીને નાંખે? અને એ પોતાનો મિત્ર ધનશેખર જીવતું હશે કે મારી ગ હશે? વિગેરે વિગેરે–આ પ્રસંગે એ આ બનાવ હરિરાજાના ધ્યાનમાં આવી ગયે. રાજા હજુ તે આ સર્વ બાબત મનમાં વિચારે છે ત્યાં જ્ઞાનથી તેની સર્વ વિચારણું જાણું લઈને (પૂછયા વગર) જિજ્ઞાસાવૃપ્તિ. આચાર્ય મહારાજ ઉત્તમસૂરિ તેને કહેવા લાગ્યા રાજન્ ! તારા મનમાં એ પ્રશ્ન થયે છે કે એ તારે મિત્ર તારા ઉપર ઘણો પ્રેમવાળો હોવા છતાં તને શા કારણે ૧ વ્યવધાનવાળા પદાથો જેની વચમાં આડો પડદો આવ્યો હોય અથવા અતિ દૂર રહેલા હોય તેવા પ્રસંગે. ૨ જ્યારે ભૂતભાવી જાણનાર ગુરૂને યોગ થયો ત્યારે પોતાને લગતી બાબતો મનના ચિત્રપટ પર ખડી થઇ ગઇ. દેવને વિજ્ઞપ્તિ કરી છતાં ધનને એણે કેમ ડૂબાડશે ? એનું શું થયું હશે ? એનાં એવાં વિચિત્ર વર્તનનું કારણ શું હશે? એ સહજ પ્રશ્ન મનમાં થઈ આવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy