SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] ધનશેખરની નિષ્ફળતા. ૧૫૪૭ જ્યારે દીવાની ખાતામાં રાજ્યની નોકરી મને લાભદાયી ન નીવડી ત્યારે હું લશ્કરમાં જોડાયો તે તરત જ માટી ભયંકર લડાઈ શરૂ થઈ ગઈ અને મારે લડવા જવું પડ્યું. આખરે લડાઈમાં મારે સ્વામીની પ્રસન્નતા ખાતર મારા શરીરપર હથિયારના અને મારના અનેક ઘા સહન કરવા પડ્યા અને દુઃખી શરીરે મારે આખરે લશ્કરી કરી છોડવાને વખત આવ્યો. (લશ્કરી નેકરી). ત્યાર પછી મેં બળદનું વાહન કર્યું એટલે બળદ ગાડી કરી એક સ્થાનેથી બીજા સ્થાન પર સામાન કે માણસને લઈ જવા લાવવાનો અને તેમ કરી ભાડાને ધંધો કરવા માંડ્યો તે ઢોરમાં ખરવા ને વ્યાધિ ફાટી નીકળ્યો અને મારા સર્વ બળદ તેમાં મરી ગયા. (ભાટકકમે).. ત્યાર પછી ગધેડાઓનો મેટો જથ્થો એકઠા કરીને તેના ઉપર માલ લાદી દાગરને ધધો મેં કરવા માંડયો, મારો ઈરાદો એક દેશથી બીજા દેશ સાથે વ્યવહાર ચલાવવાને અને વેપાર કરવાનો હતો અને તેમ કરીને જ્યારે મોટો સાથ એકઠા કરી વેપાર કરવા લાગે ત્યારે ચેરેએ અમારા સાથે ઉપર તૂટી પડી અમારું સર્વસ્વ લુટી લીધું અને વેપારને ધૂળધાણી કરી નાખે. (વેપાર). મારી એવી અનેક બાબતમાં નિષ્ફળતા થતી જોઈ હું ગૃહસ્થને ઘરે ચાકરીએ રહ્યો અને તેની અનેક પ્રકારની સેવા કરવા લાગે, છતાં મારી ચાકરીના બદલામાં તે મારા ઉપર ગુસ્સે જ થાય અને ખાવાપીવાનું આપે નહિ તેમ પગાર પણ આપે નહિ. આખરે મારે ગૃહસ્થની ચાકરી છોડવાનો વખત આવ્યું. (ચાકરી), પછી વળી કઈ વાણીઆની નેકરીએ વહાણ ઉપર ચો. પરદેશ સાથે વ્યાપાર કરવા સારૂ વહાણવટું કરવા માંડ્યું અને વહાણ પરદેશ ચાલ્યા, પણ મારા કર્મસંજોગે એ વહાણ દરિયામાં ડૂબી ગયું અને વહાણમાંની સર્વ વસ્તુઓ દરિયામાં ગઈ. મારા હાથમાં પાટિયું આવી જવાથી હું બચી ગયો અને વહાણવટામાં પણ મને જરાએ સફળતા મળી નહિ. (વહાણવટું), વહાણમાંથી દરિયામાં પડ્યો અને પાટીઉં હાથમાં આવતાં તરવા લાગે તે તરતે તરત રધનદ્વીપે આવી પહોંચ્યું અને ત્યાં જમી ૧ સમુદ્રમાં વચ્ચે વચ્ચે બેટ હોય છે તેમાં કેટલાક રોધનદીપ કહેવાય છે, સમદ્રામાંથી તણાઈ આવતાને અટકાવે છે તેથી તેને રાધનહી કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy