SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ અને શરીરે ત્રાસ પામેલાની તે વખતે શી સ્થિતિ થઈ હશે તે વિચારવાનું કામ તમને જ સોંપું છું. આટલું છતાં મારે મારા પાપનું ફળ હજુ ભેગવવાનું ઘણું હોવાથી અને વળી ત્યાર પછી મારે હાથે ઘણાં પાપ થવાનાં હોવાથી મહા મુસીબતે મારાં પ્રાણુ ટકે એવા સંગે મળી ગયા, જેવી તેવી તુચ્છ વસ્તુઓ ખાઈને મારે મારું ગાડું ગબડાવવું પડ્યું અને હું ત્યાંથી રખડતો રખડત આગળ ચાલવા લાગ્યું. અનેક ગામ શહેર અને દેશ ફરતે ફરતો હું આખરે વસંત દેશમાં આવી પહોંચે. એવી રીતે અનેક દેશોમાં રખો, ખાવાનું ઠેકાણું નહિ, પીવાનું ઠેકાણું નહિ અને રહેવાને મુકામ નહિ એવી ભયંકર સ્થિતિ હોવા છતાં હું મારા બાપને ઘરે અભિમાનથી ગયો નહિ. જે પિતાની ના છતાં ઉપરવટ થઈને હું ધન કમાવા નીકળી પડ્યો હતો તેને આવી નિર્ધન સ્થિતિમાં હોં કેમ બતાવાય એવા અભિમાનમાં હું ભિખારીને વેશે ઘણી જગ્યો પર રખડો, ભ, ફય. મારે પુણ્યોદય મિત્ર નાશ પામી ગયે હતો અને માત્ર મારી સાથે પેલા સાગર અને મૈથુન મિત્ર હતા, તેમને સાથે લઈને હું અનેક જગ્યાપર નકામે ગયે અને ફાંફા માર્યા. અનેક કાર્યારંભમાં નિષ્ફળતા, જૂદા જુદા દેશમાં જઈને મેં નવા નવા અનેક ધંધા કરવા માંડ્યા અને ધનની ઈચ્છાથી વારંવાર નવાં નવાં છટકાઓ માંડયાં, પણ પુણ્ય વગર ધન મળ્યું નહિ, ઉલટો જે કાંઈ ધંધે માંડું તેમાં રૂપીઆના આઠ આના થઇ જાય. મેં કેવા કેવા ધધા કયો અને દરેંકમાં શી સ્થિતિ થઈ તે નોંધી લેવા લાયક હોવાથી તેને ટુંકામાં કહી જાઉ છું તે સાંભળઃ– મેં ખેતીવાડીને ધંધે આદય એટલે તે વર્ષમાં વરસાદ જ બીલકુલ થયો નહિ અને આખા દેશમાં દુકાળ પડ્યો. (ખેતી), ત્યાર પછી અત્યંત વિનયપૂર્વક નીચું મુખ રાખી મેં રાજાની નોકરી કરવા માંડી અને બહુ ચિત્ત રાખી સાચા દિલથી રાજાની સેવા કરવા માંડી, ત્યારે તદ્દન વિનાકારણ રાજા મારા ઉપર ગુસ્સે થઈ જાય તેવા પ્રસંગે બનવા લાગ્યા અને આખરે મારે તે નેકરી છોડી દેવાની ફરજ પડી. (રાજસેવા), ૧ આ કોઈ દેશ છે, પણ નથી તે આનંદપુર (ધનશેખરના પિતાનું ગામ) કે નથી તે જયપુર (ધનશેખરના સાસરાનું ગામ), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy