SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ કરતાવ ૬ ઉપર આવ્યું. હું ડૂબી ગયો છું અને મરી ગયે હઇશ એમ ધારીને તે દેવ તે તરત જ પિતાના સ્થાન તરફ પાછા ફરી ગયેલ હતે. દેવનું શિષ્ટ માહામ્ય, સમુદ્રમાંથી રાજ્યાસને. ધન તરફ અમિ દૃષ્ટિ. હરિકુમારને રાજ્ય, તે વખતે સમુદ્રમાં ભરતી આવી, પવન અનુકૂળ થયે અને હરિકુમાર બન્ને વહાણ લઈને કાંઠે આવી પહોંચે, ભારતમાં ઉતર્યો. ત્યાં કાંઠા ઉપર જ તેને ખબર મળ્યા કે આનંદનગરે કેસરિ રાજા (હરિના પિતા) મરણ પામ્યા છે. લેકેની પાસેથી આવા સમાચાર જાણુને હરિકુમાર ઉતાવળથી બાપના રાજ્ય તરફ ચાલ્યો અને ત્યાં પહોંચીને કઈ જાતના કલેશ કે લડાઈ વગર રાજ્યગાદી ઉપર પિતે બેસી ગયે. તે વખતે વાત એમ બની કે હરિકુમાર સાથે તેની ધાવમાતા વસુમતી દાસી આવી હતી. તેણે કમળસુંદરી ( હરિ કુમારની માતા) શા માટે નાસી ગઈ હતી, જંગલમાં તેનું શું થયું, પુત્રપ્રસવ કેવી રીતે થે, કમળનુંદરીના ભાઈને ઘરે રતદ્વીપે તે વસુમતી કેવી રીતે ગઈ અને ત્યાં કુમાર કેવી રીતે ઉછર્યો તે સર્વ હકીકત વિસ્તારથી ભાયાતવર્ગને તેમ જ રાજપુરૂષોને કહી સંભળાવી અને હરિકમાર કેસરિરાજાને પુત્ર છે એ હકીકત સારી રીતે જાહેર કરી એટલે કે તેના તરફ બહુ પ્રેમવાળા થયા, પિતાને ખરે હક્કદાર રાજા મળ્યો છે એમ તેમને જણાયું તેથી હરિ કુમારને રાજ્યનો સુંદર સહયોગ થયો અને આખી પ્રજા તેનામાં રંજન પામી. આવી રીતે પિતાના પુણ્યના જોરથી હરિકુમાર ઘણી પૃથ્વીને માલેક થયે અને આખરે મટે મંડળાધિપતિ છે. હરિ કુમારે પોતાની સજજનતા ચાલુ જ રાખી, એણે મારા પિતા હરિશેખરને બેલાવીને મારું એક વહાણુ રનથી ભરેલું હતું તે તેને સોંપી દીધું. કેઈ માણસ માગણી કરે કે મારે હક્ક પણ રજુ કરે કે સાબીત કરે તેવું નહોતું છતાં પણ મહા મૂલ્યવાનું રત્નોનો સમૂહ મારા પિતાને સોંપતાં કુમારના મનમાં જરા પણ આંચકે થયે નહિ કે દાનત બગડી નહિ. હરિકુમાર ત્યાર પછી અત્યંત સુખથી રાજ્ય કરવા લાગ્ય, મયૂરમંજરી સાથે વિલાસ કરવા લાગ્યો અને સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યો. ૧ આ તેનું જ નગર છે, જુઓ પૃ. ૧૪૬૫. ૧ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૩ નું. પૃ. ૧૪૮૬ થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy