SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] ભારદરિયેથી રાજ્યસિહાસને. ૧૫૪૧ આ પ્રેરણાને અંગે મેં વિચાર કર્યો કે-એક તે મારે રનથી ભરપૂર વહાણ હાથ કરવું છે અને વળી તે ઉપરાંત મયૂરપાપી નિર્ણય. જરીને મારી પિતાની કરવી છે. આ પ્રમાણે કરવાથી મારા ધનપ્રાપ્તિ અને સ્ત્રીભેગના સર્વ મનોરથ જરૂર પૂરાં થશે; પણ હવે તેમ કરવાને ઉપાય વિચારતાં મને એમ જણાય છે કે જ્યાં સુધી હરિકુમાર જીતે છે ત્યાં સુધી એ બન્નેમાંથી એક પણ વસ્તુ મને મળી શકે નહિ, માટે એ વસ્તુઓને હાથે કરવાનો ઉપાય એ જ છે કે ગમે તેમ કરીને વચ્ચેથી મારે હરિ કુમારને ઘાટ ઘડી નાખ. આવા વિચારને પરિણામે યુક્તિપૂર્વક કેઇ ન જાણે તેમ હરિ કુમારને વધ કરવાનો મેં મારા મનમાં નિર્ણય કર્યો. ઉપર પ્રમાણે મેં મારા મનમાં ઠરાવ કર્યો તે વખતે મેં ન વિચાર્યું હરિ કુમારનું મારા તરફ વળેલું ચિત્ત, ન વિચારી તેની હરિકુમાર શુદ્ધ સ્નેહરસિકતા, ને મનમાં આપ્યું મિત્રદ્રોહનું મહાસમુદ્રમાં. પાપ કે ન ગમ્યું મારા કુળને લાગતું મોટું રાજ્યદ્રોહનું કલંક; મારા લાંબા કાળની તેની સાથેની દોસ્તીને વિસારી મૂકી, તેણે મારા ઉપર શુદ્ધ વર્તન રાખ્યું હતું તે ભૂલી ગયો અથવા તેનું સાધુ જીવન વિસારી દીધું, તેણે મારે અનેક પ્રસંગે વિવેક વિનય કર્યો હતે તે ઊંચે મૂક્યો અને સત્ય પુરૂષાર્થને નાશ કરી હીચકારા થવાને મેં નિર્ણય કર્યો. પ્રાણીને જ્યારે એક વસ્તુ પ્રાપ્ત કરવા મન થાય છે અને તેના તરફ આસક્તિ થાય છે ત્યારે પછી તે સર્વ વિનય વિવેક ભૂલી જાય છે, સંબંધ ચૂકી જાય છે અને માત્ર ગમે તે પ્રકારે તે વસ્તુ પ્રાપ્ત કરવી એવી અધમ વૃત્તિ તેનામાં આવી જાય છે. શુદ્ધ વિવેકનું સામ્રાજ્ય ન હોય ત્યાં આવી સ્થિતિ થાય છે. મારા સંબંધમાં પણ તે વખતે તેમ જ થયું. પછી એક રાત્રે પ્રથમ ઉઠીને હરિફમારને વહાણુના છેડા ઉપર લઈ જઈ શરીરચિંતા કરવા સારૂ મેં તેને પ્રેરણા કરી, તે વખતે હરિ કુમારે મને જે અને એ આમ કેમ કહે છે એ હજુ તે વિચાર કરે છે તેવામાં તો તે એવી રીતે વહાણને છેડે રહ્યો હતું કે એકાએક મેટા અવાજ સાથે તે સમુદ્રમાં પડી ગયે. પણ દેવ અનુકૂળ હોય ત્યાં વાળ વાંકો થતો નથી, હરિ પુન: સ્થાપના ૧ અહીં છાપેલી કોપીમાં એક શ્લોક રહી ગ જણાય છે. ધનશેખરે ધક્કો મારી હરિકુમારને સમુદ્રમાં પાડી દીધો એવી હકીકત સંક્ષિપ્ત ઉપમિતિમાં છે તેને હલેખ મૂળમાં મળતો નથી, પણ હકીકત તેમ જ હોય એમ જણાય છે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy