SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણું ૭] ભરદરિયેથી રાજ્યસિહાસને. ૧૫૩૭ વખતે તે તેણે રાજાની હામાં હા મેળવી દીધી. સુબુદ્ધિમંત્રીએ રાજાને કહ્યું “તમારા મનમાં જેમ આવ્યું છે તેમ ભલે કરે; મહાત્મા પુરૂષોની બુદ્ધિ અગ્ય બાબતમાં પ્રવર્તતી જ નથી. એ પછી હરિકુમારને ઘાટ જરૂર ઘડી નાખવો એવો નિર્ણય કરીને રાજા અને સુબુદ્ધિ મંત્રી પિતાપિતાને સ્થાનકે ગયા. સુબુદ્ધિની એકાંત વિચારણા રાજાએ ઉપર પ્રમાણે વાત કરી અને પોતે તેના વિચાર સાથે અનુમોદના આપી ત્યાર પછી ઘરે આવતાં પવિત્ર ભગતૃષ્ણ- બુદ્ધિવાળા વયેવૃદ્ધ અનુભવી સુબુદ્ધિમંત્રીના મનમાં ની અંધતા. વિચાર આવ્યા કે અહાહા ભેગસુખની અત્યંત આસક્તિને ધિક્કાર છે! અને આ અજ્ઞાન ચેષ્ટાને પણ ધિક્કાર છે! રાજ્ય ઉપર લંપટપણું ખરેખર નિંદાપાત્ર છે! રાજ્યને અંગે અનેક પ્રકારના સંકડે સાચા ખોટા વિચાર આવ્યા જ કરે છે એ વાત તદ્દન સાચી છે. આ મહારાજાને હરિ કુમાર એક વખત પિતાના પ્રાણથી પણ વધારે વહાલે હતો, વધારામાં એ સર્વ ગુણનિધાન હોવા ઉપરાંત મહારાજાને જમાઈ થાય છે, વળી તેની સગી બહેનનો એકનો એક પુત્ર છે, પોતાના આશ્રયમાં આવી રહેલ છે, તે જ હરિ અત્યારે વિનાકારણે રાજાના દ્વેષનું કારણ થઈ પડયો છે, રાજાથી વધ થવાને યોગ્ય થઈ પડ્યો છે, તેનો મોટો શત્રુ થઈ પડ્યો છે ! અહાહા ! ભેગની તૃષ્ણ અને ઇચ્છાથી જે અંધપણું ઉત્પન્ન થાય છે તે જ આવી મહા ભયંકર સ્થિતિનું કારણ છે, તે સિવાય મને તો આમાં બીજું કાંઈ પણ કારણ જણાતું નથી. અરે! આવો મહા પવિત્ર વિનયવાળે શુદ્ધ મહાપુરૂષ જે તદ્દન લેભ વગરનો છે, પાપથી બીવાવાળે છે અને વિચારશીળ છે, તે પિતાના સ્વપ્રમાં પણ મહારાજાનું રાજ્ય હરણું કરે ખરે! ખરેખર રાજ્યપરના મોહથી રાજા નીલકંઠ અત્યારે મૂઢ થઈ ગયો છે, કમઅક્કલ બની ગયું છે, એમાં જરા પણ શંકા નથી; પણ હવે ગમે તેમ કરીને એ પવિત્ર શુદ્ધાત્મા રન જેવા ઉજજવળ હરિકુમારને બચાવી લેવો જોઈએ. એવા વિમળ હદયવાળા મહાપુરૂષથી પૃથ્વી પવિત્ર છે, એનો નાશ થાય તે અસહ્ય છે. * ૧ સુબુદ્ધિએ રાજાને એથી જુદી સલાહ આપી હોત તો તેને પણ હરિને મળતીઓ ગણવામાં આવતા તેથી તેણે હા પાડી. બાકી સલાહ દ્વિઅર્થી તો છે જ. કાં તો સાંભળનાર મહાત્મા નથી અથવા તેનામાં બુદ્ધિ નથી એ અંદરને ઇવનિ છે પણ તે સમજનાર જ સમજી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy