SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ર હાથી ઉપર સ્વારી કરીને બહાર નીકળતા હતા, મિત્રના ટાળાથી પરવરેલા રહેતા હતા, તેના મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ કરવામાં આવતું હતું-આવી રીતે જ્યારે ફરવા નીકળે ત્યારે ઇંદ્ર જેમ ઇંદ્રાણીસહિત શાભે તેમ તે પણ મયૂરમંજરી સહિત શાભતા હતા, લોકો તેની તરફ ધારીધારીને જોઇ રહેતા હતા અને તેને ખરેખરા ભાગ્યશાળી માનતા હતા. Jain Education International હરિ ઉપર લેાકેાની આટલી બધી પ્રીતિ જોઇને મહારાજા નીલકંઠની આંખ ફાટી ગઇ, તેના મનમાં સાચા ખાટા આશયા હશે એમ ધારી લેવામાં આવ્યું અને આવા ખોટા વિચારથી મહારાજાનું ચિત્ત મલીન થઇ ગયું. તેને તે વખતે વિચાર થયો કે અહા હું વૃદ્ધ છું, પુત્ર વગરના છું, મારી બાજુએ અત્યારે કોઇ નથીઅને હરિકુમારે મારા આખા રાજ્યવર્ગને અને ભાયાતાને પેાતાના કરી લીધા છે, ટૂંકામાં વિચારૂં તો મારૂં આખું રાજતંત્ર તે પોતાનું કરી બેઠો છે, અને ખુદ મારા પ્રધાના પણ તેના તરફ પ્રેમવાળા થઇ ગયા છે; આ પ્રમાણે હકીક્ત હોવાથી આ વધતા જતા પ્રતાપવાળા બળવાન્ હરિકુમાર મારૂં આખું રાજ્ય પચાવી પડશે એમાં મને જરા પણ સંદેહ લાગતા નથી. આ પ્રમાણે હકીકત હાવાથી હવે એના સંબંધમાં ગફલતીમાં રહેવું ઉચિત નથી, કારણ કે વ્યવહારકુશળ માણસા કહી ગયા છે કે અરધું રાજ્ય હરણ કરી લે અથવા પચાવી પડે તેવા જે નાકર હાય તેને હણી નાખવામાં ન આવે તેા આખરે પેાતાને મરવાના વખત આવે છે, પેાતાનું ખૂન બીજા વડે (તેનાથી ) જરૂર થાય છે. રાજાની આંમ ફાટી. આ પ્રમાણે નીલકંઠ રાજાએ પોતાના મનમાં વિચાર કર્યાં. ત્યાર પછી તેણે પોતાના ખાસ અંગત મંત્રી સુબુદ્ધિને બેલાવી તેની સાથે વિચાર કરી તેની સલાહ થાય તે પ્રમાણે તેને ( હરિને ) મારી નાખવા એમ વિચાર કર્યો. આવા વિચાર થતાં જ રાજાએ સુબુદ્ધિમંત્રીને પેાતાની પાસે એકાંતમાં એલાવ્યો અને તેની પાસે પેાતાના જે નિર્ણય થયા હતા અને અભિપ્રાય બંધાયા હતા તે જણાવ્યો. સુબુદ્ધિમંત્રી હરિકુમારને અહુ સારી રીતે ઓળખતા હતા અને તેના પવિત્ર સદ્ગુણાથી વશ થઇ તેના ઉપર હૃદયથી પ્રીતિ રાખતા હતા, તેણે જ્યારે રાજાના આવા શબ્દો સાંભળ્યા ત્યારે જાણે તેને વજ્રના ઝાટકા લાગ્યા હોય તેમ અંદરથી અસર થઇ; પણ રાજાના નિર્ણય સ્પષ્ટ અને ન ફરે તે જોઇને તે સમયેાચિત સ લા હ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy