SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬] મૈથુન યૌવન મૈત્રી. ૧૫૩૩ ચાળા, ઠઠ્ઠામશ્કરી અને શૂરવીરતા આદિ મનને હરણ કરે તેવા અનેક ગુણે ઉત્પન્ન કર્યા. મૈથુનમિત્રે તે મારામાં એવી અસર ઉત્પન્ન કરી કે હું સંકડે સ્ત્રીઓની સાથે ભોગવિલાસ કરું પણ દાવાનળમાં જેમ ગમે તેટલાં લાકડાં નાખવામાં આવે પણ તે ધરાય નહિ તેમ મને ગમે તેટલી સ્ત્રી સાથે ભોગવિલાસ કરતાં છતાં તૃપ્તિ જ થાય નહિ. ત્યાર પછી મને ગામમાં રહેતી સૌથી મુખ્ય જાણતી ગણિકા સાથે ભેગવિલાસ કરવાની મૈથુને અંદરથી પ્રેરણું કરવા માંડી, પણ અંદરનો જુનો સાગરમિત્ર જે ધનનો ઘણે લંપટી હતો તે મને સમજાવે કે તેમ કરવું નહિ, કારણ કે તેમ કરવામાં પૈસાનું નુકસાન થાય અને એકઠી કરેલી પુંછ વિનાશ પામે. આવી રીતે એક બાજુ મૈથુનમિત્ર મને વિલાસ કરવાની આજ્ઞા કરે અને બીજી બાજુએ સાગરમિત્ર મને ધનના લેભથી તેમ કરતે અટકાવે-આવી રીતે મારે તે એક બાજુ નદી અને બીજી બાજુ વાઘવાળી વાત થઈ, હું ઘણી કડી સ્થિતિમાં આવી ગયો, હું વધારે વધારે મુંઝવણમાં પડતે ગયે. વાત એમ હતી કે મને સાગરમિત્ર ઉપર ઘણે પ્રેમ હતું, તે મને સર્વથી વધારે વહાલ હતું અને તેના તરફ મને સાધારણ રીતે વધારે ખેંચાણ હતું, પણ તે સાથે જ હું મૈથુનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન નહે. છેવટે બંન્ને ઉપરના પ્રેમને લીધે મેં એક અતિ ભયંકર ઘટના કરી, કારણ કે મારી ઈચ્છા ગમે તેમ કરીને બન્નેનાં વચનને અને હુકમને માન્ય કરવાની હતી. સાગરનિવારણનું પરિણામ, બન્ને મિત્રને રાજી રાખવા ખાતર મેં એ વિચાર કર્યો કે મૈથુન સેવવાની મારી ઈચ્છા તૃપ્ત થાય અને મારે ધન લોભીના વિલાસ ખરચવું ન પડે તેટલા માટે જે કઈ બાળવિધવા ની અતિ તુચ્છ * સ્ત્રી હેય, અથવા રાંડરાંડ હોય, અથવા જેને પતિ પરદેશ ગયો હોય અથવા કેઈ ભગત સ્ત્રીઓ હોય અથવા વગર મૂલે અથવા તદ્દન નામના પૈસા આપવાથી વશ થાય તેવી જે સ્ત્રીઓ હોય તેમની સાથે ભેગ ભેગવવોસાગરમિત્રની બીકની અસરતળે અને મૈથુનનો હુકમ માનવા ખાતર આવી રીતે મે ન કર્યો કાર્યકાર્યને વિચાર, કે ન કર્યો કલાજનો વિચાર, અને તદ્દન મૂઢ મનનો થઈને એવી સ્ત્રીઓમાં ભટકવા લાગ્યો. આવા પ્રકારની મારી વર્તનાથી આખરે મેં મર્યાદા છોડી દીધી અને લાજ વગરને થઈને છેવટે ઢેઢડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy