SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ તેને બરાબર ઓળખી શક્યો નહિ, સમજી શક્યો નહિ, લક્ષ્યમાં લઈ શક્યો નહિ. મારી પાસે સાગર સાથે મૈત્રી કરાવીને પણ વિધિ શાંત થઈને બેઠે નહિ, જાણે હજી મારી વિટંબણામાં કાંઈ બાકી હોય તે પૂર્ણ કરવાને વળી મૈથુન સાથે મૈત્રી કરાવી. જોકેમાં પણ કહેવત છે કે ઊંટના ઉપર ઘણે ભાર લાવો હોય અને તેના ભારથી તે દબાઈ જતે હોય અને મુખેથી ગાંગર્યા કરતો હોય (બૂમ પાડતો હોય) તેમ છતાં પણ તે વખતે તેની પીઠ ઉપર જે ન સમાઈ શકે તે તેને ગળે બાંધવું.' વનની ઉપર પ્રમાણે વાત સાંભળીને હું તદ્દન મેહથી ઘેલે થઈ ગયો અને મનમાં તે બન્ને ઉપર પ્રીતિ લાવીને સ્થાને ગો અંતરંગથી તે બન્નેને મારા ખાસ મિત્ર તરીકે સ્વીકાર્યા ઠ વા યાં. અને તેમને જણાવી પણ દીધું કે હવે પછી તેમની સાથે હું સાચી પ્રીતિ રાખીશ. વળી મારા અંતરંગ રાજ્યમાં એક સ્વાન ( હૃદય–અંતઃકરણ) નામનો મહેલ હતો તેના અધિપતિ તરીકે એ મારા મૈથુનમિત્રની સ્થાપના કરી અને તે પ્રાસાદમાં તેને રહેવાનું જણાવ્યું. વળી એ સ્વાત નામના મહેલની પાસે જ બીજે ગાત્ર (દેહ-શરી૨) નામનો પ્રાસાદ હતો ત્યાં મારા યૌવનમિત્રને સ્થા અને તેનું અધિપતિપણું તેને સોંપ્યું. વન મૈથુનની અસર ત્યાર પછી એ બન્ને નવીન મિત્રો પિતાપિતાના મહેલમાં રહેવા લાગ્યા, મારી ઉપર પિતાની અનેક પ્રકારની અસર વિલાસ અને નીપજવવા લાગ્યા અને પિતાનું જોર જણાવવા લોભને વિરોધ. લાગ્યા. યૌવનમિત્રે મારામાં રમતગમત, વિલાસ, ૧ બને તેટલો ભાર ઊંટની ઉપર લાદવામાં આવે છે, પછી વધે તો તેને ગળે લટકાવવામાં આવે છે. મતલબ ગમે તે પ્રકારે તેના પર વધારે વધારે ભાર લાદવામાં આવે છે. અહીં વિધિને (નસીબને ) જણાયું કે સાગર (લાભ)ની અસરતળે હજુ પૂરતું કામ થયું નથી તેથી વળી મૈથુન સાથે દોસ્તી કરાવી. ગમે તેમ કરીને ધનશેખર પર મોહનો બેજે વધારવાનો ઉદ્દેશ છે. ૨ ચૌવન-જવાનીદર સર્વ અવયવોમાં દેખાય છે, અંદરથી મૈથુન પ્રેરણા કરે છે. એકલો યૌવન ગાત્રમાં હોય તેથી કાંઈ થતું નથી, અંદરની પ્રેરણું મૈથુન કરે ત્યારે યૌવન મસ્તી કરે છે. આ બન્ને પ્રાસાદની કલ્પના બરાબર યુક્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy