SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પર૩ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ મહેરબાની કરી ! તમે જે વાત કરી તે તદ્દન ખરાખર છે. મયૂરમં જરીની પ્રિય સખી લીલાવતી નામની છે તે મને હમણા જ કહેતી હતી કે આજે સવારે સૂર્યોદય થયા તે વખતે પેાતાના અનેક મિત્રોના ટાળા વચ્ચે લીલાસુંદર ઉદ્યાન તરફે હરિકુમાર જતા હતા તે આપણી મંજરીના જોવામાં આવ્યા હતા. એના તરફ અનિમેષ નજરે મંજરી ઘણા વખત જોઇ રહી હતી પણ ગમે તે કારણે મંજરી કુમારની નજરે પડી નહિ. એ લીલાવતીએ વળી વધારે એ વાત પણ કરી કે મંજરીને એના સંબંધમાં બહુ હોંસ અને અભિલાષા થઇ છે પણ સ્નેહમાં શંકાએ બહુ આવે છે તે પ્રમાણે જાણે પાતાની ધારણા પાર પડી શકશે કે નહિ એવા વિચારથી મંજરી તે વખતથી આવી અવસ્થાને પામી ગયેલી છે. હવે આપે આપની જ્ઞાનચક્ષુથી જેવું જોયું છે તે પ્રમાણે તે બન્નેને સમાગમ તમે કરાવી આપે. ’ “ ભાઈ! મેં તે વખતે શિખરિણી દેવીને જવાબ આપ્યો કે ભલે એમ હોય તેા હવે કુમારના શો અભિપ્રાય છે તે હું ખરાખર જોઇ આવું. ’ દેવીએ મને જવાબ આપ્યા તમે સર્વ જાણા છે, અમારે તે આવી બાબતમાં શું બેલવું ?' પછી ભાઇ! મેં ચિત્રપટ પર મયૂરમંજરીની છબી ખરાખર ચિતરી કાઢી. એ છબી સાથે લઇને હું લીલાસુંદર ઉદ્યાનમાં આવી. ત્યાં મેં હરિકુમારને જોયો. તેને છમી આપી અને તેના ભાવ ખરાખર જોઇ લીધે. મને જણાયું કે એને પણ અભિલાષા પૂરેપૂરી છે અને તે પણ મયૂરમંજરી માટે તલપી રહ્યો છે. હવે મારા મનમાં જે ધારણા અને હોંસ હતી તે તે પૂરી થઇ ગઇ એટલે દેવી પાસે જઇ તેને ખબર આપું અને એ સંબં ધમાં વધારે કરવા યેાગ્ય શું ખાકી રહે છે તે તેને પૂછું. આવે વિચાર કરીને હું કુમાર પાસેથી એકદમ તરત જ નીકળીને દેવી પાસે ગઇ અને તેને સર્વ હકીકત જણાવી. વળી સાથે મેં દેવીને જણાવ્યું કે ‘હવે હરિકુમાર તે મારી મુઠીમાં આવી ગયા છે એ સંબંધમાં શું કરવું છે તે કહો. ' આ હકીકત સાંભળી દેવી શિખરિણી બહુ રાજી થયા અને પોતાની દીકરી મંજરીને કહેવા લાગ્યા · દીકરી ! આ ભગવતી તાપસીએ જે વાત કરી તે તારા સાંભળવામાં ખરાખર આવી ? હવે તને તારા હૃદયવલ્લભ જરૂર મળશે. ’ મંજરીએ આ વાત સાંભળી પણ તેના મનમાં તે વાતના ભરોંસા ન આવ્યા : . ૧ આ સર્વ વાર્તા ધનશેખર પાસે તાપસી અંધેલા કહે છે, ધનશેખર *સારીજીવ છે તે પેાતાની આખી વાત સદાગમ સમક્ષ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy