SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૬ મુખકમળ આળેખ્યું. ત્યાર પછી આઠ આને મૂકી દીધા. તે આની સાથે સ્ત્રીના હૃદયની કુટિલતા બતાવનાર આડીઅવળી ત્રણ રેખાઓ દોરી. ગણીગણીને ત્યાર પછી આઠે આને બરાબર ગોઠવી દીધી. તેને ગણતાં જે રકમ બાકી રહી તે અનુસારે ત્રણ ત્રણ આંકડાઓ મૂકી દીધા. (આ આંકડાઓ પ્રમાણે ફળાદેશ કરવાનો હોય છે). આવી રીતે સર્વ ગણતરી કરવાનાં સાધનોની યેજના કરીને મેં દેવીને કહ્યું. “૧ વજ, ૨ ધૂમ્ર, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષભ, ૬ ખર, ૭ હસ્તી અને ૮ વાયસ-આ આઠ નામની નિમિત્તશાસ્ત્રમાં આય કહેવામાં આવેલ છે. એ આઠે આના આઠ પ્રકારના બળ હોય છે. ૧, કાળ, (સમય-મુકરર કરે તે) ૨. વાસર. (દિવસ) ૩, વેળા, ૪ (અવસર-ક્યારે, કેટલે દૂર વિગેરે), ૪. મુહૂર્ત. (ચોક્કસ સમય) પ.દિશા, (કઈ દિશાએ કયા ખૂણે વિગેરે) ૬, નક્ષત્રબળ. ૭, ગ્રહબળ, (જેના સંબંધમાં નિમિત્ત જેવાનું હોય તેને નક્ષત્ર અને ગ્રહ કેવી રીતે મળે છે તેને નિર્ણય.) અને ૮. નિસર્ગબળ (એટલે કાર્યનું સ્વાભાવિક બળ). આવી રીતે આઠ આના બળ છે તે દરેકના આઠ આઠ પ્રકાર હોય છે. “ “ અને દેવી શિખરિણિ! અત્રે જે આ નાખી તેના પરિ|મમાં વજા, ખર અને વાયસ આય આવી છે તેનું ફળ શું થશે તે હું તમને કહી સંભળાવું છે તે તમે લક્ષ્યમાં લે. છે એવી રીતે ગોઠવ્યા પછી જે આયે આવે તેના સંબંધમાં નિમિત્તશાસ્ત્ર કહે છે કે-એ ત્રણમાંની પ્રથમ આયથી (પાસાથી) ચિંતા કેવી થાય છે તેનો જવાબ વિચારાય છે, બીજા આયથી તેનું ફળ સારું અથવા ખરાબ બેસશે તે જણાય છે અને ત્રીજા આયથી તે પરિણામ કેટલા વખતમાં આવશે તે બાબતની ખબર પડે છે. * પ્રથમ આયમાં જે શ્વાન, વજ કે વૃષભ આવ્યો હોય તો ચિંતવન કેઈ પણ જીવસંબંધી થાય છે એમ સમજવું, જે પ્રથમ આયમાં સિંહ કે વાયસ આવ્યો હોય તો મૂળની (અસલ વસ્તુની ૧ આયઃ નિમિત્તશાસ્ત્રનો આ પારિભાષિક શબ્દ છે. એને અર્થ આ વિષય વાચતાં સ્પષ્ટ થતો જાય છે. ૨ વેળામાં ચોઘડીયા વિગેરેનો સંભવ જણાય છે. નં. ૨ માં દિવસ અને નં. ૩ માં ચોઘડિયું એટલે દિવસને અમુક ટાઈમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy