SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ. ૧૫૧૮ પહેરે છે તેને આજે હાથ પણ અડાડતી નથી, હમેશની પેઠે શરીરે વિલેપન પણ લગાડતી નથી, મુખમાં નિત્યના ઘેરણ પ્રમાણે પાન પણ નાખતી નથી અને પોતે તૈયાર કરેલા નાના બગિચા ઉપર દરરોજ સવારે દેખરેખ રાખવા અને સમારવાનો તેને નિયમ પણ આજ વિસરી ગઈ છે; આટલું જ નહિ પણ પિતાની સખીઓ આવે તેને સાધારણું સન્માન પણ આપતી નથી, પોતાના પાળેલાં મેનાપોપટની સંભાળ પણ લેતી નથી, રમવાને દડે હાથમાં લઈને ઉછાળીને દરરોજ આનંદ કરે છે તે પણ આજે કરતી નથી. વિદ્યાધરનાં યુગલે ચિતયો કરે છે, સારસ પક્ષીનાં જોડલાંને જોયા કરે છે અને વારંવાર માત્ર બારણું તરફ દેડે છે અને અસ્ફટ (ન સમજાય તેવા) અક્ષરો બેલી પિતાના આત્માની નિંદા કરે છે, સખીઓ ઉપર વિનાકારણુ ક્રોધ કરે છે અને તેને કાંઈ પૂછીએ તો જાણે કાંઈ સાંભળ્યું જ ન હોય તેમ કાંઇ જવાબ આપતી નથી. હું તમને એની સ્થિતિની શી વાત કરું ? જાણે એ તદ્દન ગાંડી થઈ ગઈ હોય, જાણે એ તદ્દન શૂન્યાકાર થઈ ગઈ હોય (તદ્દન ખાલી પડી ગઈ હોય), જાણે તેનામાં ભૂત આવ્યું હોય, તેમ અત્યારે જાણે એ મયૂરમંજરી જ નથી, કેઈ બીજી જ છોકરી હોય નહિ એવી થઈ ગઈ છે !! આટલે બધે ફેરફાર તેનામાં આજ સવારથી થઈ ગયું છે. તેની આવી અવસ્થા જોઈને મને તે કાંઈ કાંઈ વિચાર થાય છે કે મંજરીને શું થયું હશે? ભગવતિ ! દેવી બંધુલા! તમે 'નિમિત્તશાસ્ત્રમાં ઘણું કુશલ છે તો એ કોનું ચિંતવન કરી રહી છે? તે મને જોઈ કહે. વળી સાથે એ પણ જુઓ કે એના મનમાં જે વસ્તુની ચિંતવના આ વખત થાય છે તે એને મળશે કે નહિ? અને મળશે તો કેટલા વખતમાં મળશે ? એ સર્વ હકીકત મને કહો.” નિામત્તશાસ. (શુકનશાસ્ત્ર ) મેં તેને જવાબ આપે કે “હું બરાબર જોઈને કહું છું. પછી ભાઈ ધનશેખર ! મેં લગ્ન કાઢવા માંડ્યું. મંગળ માટે મેં પ્રથમ સિદ્ધિ પદુ મૂકયું, ત્યાર પછી તેની સાથે વિશેષ મંગળ માટે દેવી સરસ્વતીનું ૧ નિમિત્તામ્ર-નિશાનીઓ જોઇ સર્વ હકીકત અને પરિણામ કહેવાન શાસ્ત્ર. એને શુકનશાસ્ત્ર પણ કહે છે. નિમિત્તશાસ્ત્રના અનેક ગ્રંથો છે જેનાં નામ એ વિષયના જ્ઞાતા પાસેથી જાણી લેવા. - ૨ તાપસી પોતાની હકીકત ધનશેખર સન્મુખ કહે છે આખી વાર્તા ધનશેખર સંસારીજીવ તરીકે સદાગમ સમક્ષ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy