SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ તાપસીને ખુલાસો મયૂરમંજરી દશાનિવેદન, કામદેવની ઉન્મત્તતા, તાપસીએ મારા સવાલો સાંભળીને જવાબ આપ્યો, “સાંભળઃ આજે સવારના પહોરમાં પહો ફાટતાં જ હું ભિક્ષા રાજમંદીરે લેવા નીકળી પડી. તું જાણે છે કે આ રેતદ્વીપના તા ૫ સી. મહારાજા નીલકંઠની શિખરિણી નામની મહારાણી છે. હે ભિક્ષા લેવા માટે તેના જ રાજભવનમાં સવારે ' અને ત્યાં જઈને જોઉં છું તો રાણી મોટી ચિંતાથી ઘેરાઈ પડેલી દેખાઈ, એની ચિંતાથી તેને આખો પરિવાર પણ ઉદ્વેગ પામી શેકમાં પડી ગયેલ દેખાયે, કુમારિકાઓને આખો વર્ગ દીલગીર દેખા, કંચકીઓ (જનાનખાનાના નોકરે) મુંઝવણમાં પડી ગયેલા દેખાયા અને વૃદ્ધ સ્ત્રીઓ આશીર્વાદ દેવામાં તત્પર થઈ ગઈ હોય એવું મારા જેવામાં આવ્યું. આવો બનાવ જોઈને મારા મનમાં વિચાર થઈ પડ્યો કે અરે ! આવું ચિંતા અથવા શેકનું શું કારણું થઈ પડ્યું હશે ! હું હજુ એ વિચાર કરતી હતી ત્યાં તો શિખરિણી રાણું પોતે મારી તરફ ચાલી આવ્યા. મેં તેને આશીર્વાદ આપ્યો અને તેણે મને પ્રણામ કર્યા. મને એક સુંદર આસન આપવામાં આવ્યું જેના ઉપર હું બેઠી. પછી મહારાણું પોતે મને કહેવા લાગી, “ભગવતિ ! દેવિ ! આપ સારી રીતે જાણે છે કે મારી દીકરી મયૂરમંજરી મને પ્રાણથી પણ વધારે વહાલી છે, એના આનંદમાં મારી શાંતિ મંજરીની છે, એની રમતમાં ભારે વૈભવ છે, એના સુખમાં દ શા. મારું જીવન છે. કે જાણે શા કારણથી એ આજ સવારે ઉઠી ત્યાર પછી મેં તેને જોઈ ત્યારે તે ચિંતાથી લેવાઈ ગઈ છે, તેના મનમાં કોઈ પ્રકારની વ્યગ્રતાથી તે મુંઝાઈ ગઈ છે, તેને ઘણી મુંઝવણ થતી હોય તેમ તે બતાવે છે, કેઈ મોટા વિકારનાં જાળાએમાં તે પકડાઈ ગઈ હોય તેમ જણાય છે, જાણે તદ્દન શૂન્યાકાર થઈ ગઈ હોય તેવી દેખાય છે, તેને અતિ આકરે તાવ આવ્યો હોય તેમ તેના મુખ ઉપરથી જણાય છે, રાજકન્યાએ કરવાગ્યે સર્વ કામો તેણે છોડી દીધાં છે, અરે ! વાત એટલે સુધી વધી પડી છે કે દરરોજના નિયમ પ્રમાણે તે દેવગુરૂને નમસ્કાર પણ કરતી નથી, રાત્રે પહેરેલાં કપડાં પણ બદલતી નથી, શરીરપર ઘરેણું દરરોજ સવારે ૧ આપત્તિ પ્રસંગે વૃદ્ધો વારંવાર શાંતિના આશીર્વાદ આપ્યા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy